ઉત્તર-પૂર્વીય ભાગોમાં ચક્રવાતી તોફાનના કારણે યલો એલર્ટ જાહેર
ચક્રવાતી વાવાઝોડાને કારણે પશ્ચિમ બંગાળના જલપાઈગુડીમાં રવિવારે ચાર લોકોના મોત થયા હતા અને 100 થી વધુ લોકો ઘાયલ
- Advertisement -
ભારતીય હવામાન વિભાગે દેશના ઉત્તરપૂર્વ અને ઉત્તરીય રાજ્યોમાં આગામી કેટલાક દિવસો સુધી ભારે વરસાદની ચેતવણી જાહેર કરી છે.વાત જાણે એમ છે કે, હવામાન વિભાગની આગાહી મુજબ હિમાચલ, ઉત્તરાખંડ અને મધ્યપ્રદેશમાં કરા પડવાની સંભાવના છે. આ સાથે ઉત્તર-પૂર્વીય ભાગોમાં ચક્રવાતી તોફાનના કારણે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. મહત્વનું છે કે, ચક્રવાતી વાવાઝોડાને કારણે પશ્ચિમ બંગાળના જલપાઈગુડીમાં રવિવારે ચાર લોકોના મોત થયા હતા અને 100 થી વધુ લોકો ઘાયલ થયા હતા.
#WATCH | Rain and hailstorms hit several parts of West Bengal's Jalpaiguri causing damage to houses, buildings and crops.
Four people have lost their lives and over 100 others are injured in the cyclone incident: Jalpaiguri SP pic.twitter.com/vPMPa8PYVO
- Advertisement -
— ANI (@ANI) March 31, 2024
આસામમાં પણ ખરાબ હવામાનની અસર થઈ છે. અહીં ભારે વરસાદને કારણે ગુવાહાટીના ગોપીનાથ બોરદોલોઈ ઈન્ટરનેશનલ એરપોર્ટની છતનો એક ભાગ તૂટી પડ્યો. હવામાન વિભાગે પોતાના બુલેટિનમાં માહિતી આપી છે કે, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને પૂર્વ મધ્ય પ્રદેશમાં કરા પડવાની સંભાવના છે. આ સાથે અરુણાચલ પ્રદેશમાં 1 એપ્રિલથી 4 એપ્રિલ સુધી વરસાદ પડી શકે છે. અહીં કેટલીક જગ્યાએ ભારે વરસાદની સંભાવના છે.
પૂર્વોત્તર રાજ્યોમાં યલો એલર્ટ જાહેર કરાયું
આસામ અને મેઘાલય, મિઝોરમ, મણિપુર અને ત્રિપુરામાં 1 એપ્રિલે ભારે વરસાદની શક્યતા છે. આસામ અને મેઘાલયમાં પણ ભારે વરસાદ પડી શકે છે. એક વિશેષ બુલેટિનમાં ગુવાહાટીમાં IMDના સ્થાનિક હવામાન કેન્દ્ર એ આસામ, મેઘાલય અને અરુણાચલ પ્રદેશ માટે રવિવાર માટે ‘એલર્ટ’ જાહેર કર્યું છે. રાજ્યોમાં વીજળીના કડાકા, ભારેથી અતિ ભારે વરસાદ અને 30-40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ભારે પવન ફૂંકાવાની સંભાવના છે. RMCએ આ રાજ્યો માટે આગામી ચાર દિવસ માટે ‘યલો એલર્ટ’ જાહેર કર્યું છે.
दैनिक मौसम परिचर्चा (31.03.2024)
YouTube: https://t.co/RcHN7bHLOe
Facebook: https://t.co/ayLXRcppjC#imd #WeatherUpdate #rainfall #Heatwave #ArunachalPradesh #assam #meghalaya #MadhyaPradesh #maharashtra #AndhraPradesh @moesgoi@DDNewslive@ndmaindia@airnewsalerts pic.twitter.com/QwKWnnZ8dg
— India Meteorological Department (@Indiametdept) March 31, 2024
બંગાળમાં તોફાનને કારણે ચાર લોકોના મોત
બીજી તરફ પશ્ચિમ બંગાળના જલપાઈગુડી જિલ્લાના કેટલાક ભાગોમાં રવિવારે આવેલા અચાનક ચક્રવાતી તોફાનના કારણે ચાર લોકોના મોત થયા છે જ્યારે 100થી વધુ લોકો ઘાયલ થયા છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે, જિલ્લા મુખ્યાલયના મોટાભાગના ભાગો અને પડોશી મૈનાગુરીના કેટલાક વિસ્તારોમાં કરા સાથે ભારે પવન ફૂંકાયો હોવાથી ઘણી ઝૂંપડીઓ અને મકાનોને નુકસાન થયું હતું, વૃક્ષો ઉખડી ગયા હતા અને ઇલેક્ટ્રિક થાંભલા પડી ગયા હતા. રાજારહાટ, બાર્નિશ, બકાલી, જોરપાકડી, માધબદંગા અને સપ્તીબારી વાવાઝોડાને કારણે સૌથી વધુ પ્રભાવિત થયા છે અને કેટલાક એકર વિસ્તારમાં ઉગાડવામાં આવેલા પાકને નુકસાન થયું છે. હવામાન વિભાગે MP, વિદર્ભ અને કર્ણાટકના વિવિધ વિસ્તારોમાં 2 થી 4 હીટ વેવની સંભાવના વ્યક્ત કરી છે. રાયલસીમામાં 4 એપ્રિલ સુધી અને તેલંગાણામાં 2 એપ્રિલ સુધી ગરમીનું મોજું યથાવત રહેશે.