ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં હંમેશાં અંદરનાં અને બહારનાં લોકોનાં વિષયની ચર્ચા થાય છે. હવે કાર્તિક આર્યન એ આ વિશે વાત કરી છે. તેણે કહ્યું કે આવાં ઘણાં પ્રોજેક્ટ હતાં જે તેને મળવાના હતાં, પરંતુ તે કોઈ બીજાને આપવામાં આવ્યાં છે.
એક ઈન્ટરવ્યુમાં કાર્તિકે કહ્યું હતું કે, મારી સાથે ઘણી વખત એવું બન્યું છે જ્યાં મને લાગ્યું હતું કે આ તક મને જ મળશે પણ તે મને મળી નહિ કારણ કે હું બોલિવૂડ પરિવારમાંથી આવતો નથી. ’કાર્તિકે કહ્યું કે તે એ પરિવારના બાળકોની ભુલ નથી તે મેં હવે તે સ્વીકારી લીધું છે. તેને કહ્યું કે જો હું પણ ફિલ્મી પરિવારમાંથી હોત તો કદાચ મને તે તકો મળી હોત. તેમણે કહ્યું કે મેં કેટલી ફિલ્મો કરી છે તેની સરખામણી કરવાને બદલે તમને કામ આપનારાં નિર્માતાઓ અને પ્રોડયુસરોની ક્ષમતા તપાસવાની જરૂર છે. અભિનેતાએ કહ્યું કે આ સરખામણી વાજબી રીતે થઈ શકે છે.