By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    પાકિસ્તાન ફફડ્યું
    16 hours ago
    અમેરિકા ભારત-પાકિસ્તાન વિવાદમાં હસ્તક્ષેપ કરશે નહીં: જેડી વાન્સ
    18 hours ago
    પાકિસ્તાનની પરિસ્થિતિ લથડી: દેશમાં ઇંધણના ફાંફાં
    18 hours ago
    જો ભારત હુમલા બંધ કરે તો તેમનો દેશ તણાવ ઓછો કરવા અંગે વિચાર કરશે: પાકિસ્તાનના વિદેશ પ્રધાન ઇશાક ડાર
    19 hours ago
    પાકિસ્તાનના પીએમઓએ જણાવ્યું કે IMF એ 1 બિલિયન ડોલરની લોન મંજૂર કરી છે
    19 hours ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    પાકિસ્તાનના દરેક હુમલાને કરાયા નિષ્ફળ
    16 hours ago
    ભારત-પાક તણાવ વચ્ચે રાજસ્થાનના સરહદી વિસ્તારોમાં રેડ એલર્ટ
    17 hours ago
    DGCAનો મુસાફરી સુરક્ષા અંગે મહત્વનો નિર્ણય: 32 એરપોર્ટ 15 મે સુધી બંધ
    19 hours ago
    સુરક્ષાના કારણોસર મુંબઈના સિદ્ધિવિનાયક મંદિરમાં નારિયેળ, માળા, પ્રસાદ પર પ્રતિબંધ
    20 hours ago
    Operation Sindoor :દેશની સેનાએ 26 સ્થળોએ પાકિસ્તાને કરેલા ડ્રોન હુમલાઓને નિષ્ફળ બનાવ્યા
    20 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ઇંગ્લેન્ડ પ્રવાસ પર જસપ્રીત બુમરાહને ભારતની ટેસ્ટ ટીમનું નેતૃત્વ કરવું જોઈએ: અનિલ કુંબલે
    18 hours ago
    “ખેલાડીઓની સુરક્ષા સર્વોચ્ચ પ્રાથમિકતા”: IPL 2025 ટુર્નામેન્ટ અનિશ્ચિત સમય માટે સ્થગિત
    2 days ago
    રોહિતએ ટેસ્ટમાંથી રિટાયરમેન્ટ લીધું
    3 days ago
    IPL-2025: મુંબઈ અને પંજાબ વચ્ચેની મેચ હવે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે
    3 days ago
    ગુજરાત ટાઇટન્સએ આપી MIને ટક્કર, સીઝનની આઠમી જીત હાંસિલ કરી
    4 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    વર્ષ 1994માં કાશ્મીરમાં મારા પિતા પણ શહીદ થયા હતા: નિમરત કૌર
    3 days ago
    મેટ ગાલાના ગ્લેમર પાછળ છુપાયેલ છે કેટલાય કડક નિયમો!
    4 days ago
    પવનદીપ અકસ્માત બાદ ICUમાં દાખલ: શરીરમાં ઘણા ફ્રેક્ચર છે
    5 days ago
    કિયારા અડવાણીનો મેટ ગાલામાં ડેબ્યૂ, માતૃત્વનું પ્રતીક; અન્ય બૉલીવુડ સ્ટાર્સ પણ શાનદાર લૂકમાં ચમક્યાં
    5 days ago
    અજયની ‘રેઇડ-2’ બોક્સ ઓફિસ પર છવાઇ, જાણો 2 દિવસમાં કમાણીનો આંકડો કયા પહોંચ્યો?
    1 week ago
  • ધર્મ
    ધર્મShow More
    કૈલાસ માનસરોવર યાત્રા: કેટલો ખર્ચ થશે અને પાત્રતાના માપદંડ શું છે?
    5 days ago
    બાબા બર્ફાનીની પહેલી ઝલક સામે આવી, આ દિવસથી શરૂ થશે અમરનાથ યાત્રા, લાખો શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવશે
    5 days ago
    કેદારનાથધામના કપાટ ખૂલ્યા: ભક્તોમાં હર્ષોલ્લાસનો માહોલ
    1 week ago
    ગુડ ફ્રાઈડે શા માટે ઉજવાવામાં આવે છે ? તેનો ભગવાન ઈસુ ખ્રિસ્ત સાથે શો સબંધ છે ચાલો જાણીએ  
    3 weeks ago
    આ કારણથી અખાત્રીજના દિવસે પણ સોનું ખરીદવામાં આવે છે
    3 weeks ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    મોરબીનાં PI પંડ્યા અને PSI અન્સારી વિરૂદ્ધ હાઈકોર્ટમાં પિટિશન
    3 days ago
    સત્સંગી જીવનના બીજા પ્રકરણના ચોત્રીસમા અધ્યાયમાં સનાતન ધર્મના અનુયાયીઓ જેવા કે મહાકાળી, કાલભૈરવ અને શિવના ઉપાસકો કે જે સહજાનંદ અને તેમની ટોળીનો વિરોધ કરી રહ્યા છે તેમને અસુર કહેવાયા છે
    3 weeks ago
    જો ભગવદ સ્વરૂપની નિષ્ઠા પાકી નહીં હોય તો તે જ્યારે દેહ છોડશે ત્યારે કાં તો બ્રહ્માના લોકમાં જશે ને કાં તો…..
    3 weeks ago
    મહારાજ કેમ સ્ત્રીઓથી દૂર રહે છે?
    4 weeks ago
    ‘આ સહજાનંદ સ્વામીમાં સર્વે અવતારો સમાયેલા છે, તેઓ અવતારના પણ અવતારી અને સર્વના કારણ છે’
    4 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: લીલુંછમ અમૃત! કોથમીર ઉફે સીલોંત્રા એટલે કે કોરીઆન્ડર એટલે કે ધનિયા એટલે કે ધાણભાજી એટલે કે…..કોથમીર…
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > મનીષ આચાર્ય > લીલુંછમ અમૃત! કોથમીર ઉફે સીલોંત્રા એટલે કે કોરીઆન્ડર એટલે કે ધનિયા એટલે કે ધાણભાજી એટલે કે…..કોથમીર…
Authorમનીષ આચાર્ય

લીલુંછમ અમૃત! કોથમીર ઉફે સીલોંત્રા એટલે કે કોરીઆન્ડર એટલે કે ધનિયા એટલે કે ધાણભાજી એટલે કે…..કોથમીર…

Khaskhabar Editor
Last updated: 2024/01/13 at 4:12 PM
Khaskhabar Editor 1 year ago
Share
8 Min Read
SHARE

નમણી નાજુક કોથમીર આપણા શરીરમાં ઘર કરી ગયલા ધાતુઓના વિષની સાથે કુસ્તિ કરી તેને નિર્મૂળ કરવાની ક્ષમતા ધરાવે છે

કોથમીર ઉફે સીલોંત્રા એટલે કે કોરીઆન્ડર એટલે કે ધનિયા એટલે કે ધાણભાજી એટલે કે…..કોથમીર… યસ કોથમીરને કોણ નહી ઓળખતું હોય…? હા, આપણામાંથી કોઈ તેના નામથી અપરિચિત ન જ હોય શકે કારણ કે આ કોથમીરને માનવજાતની સ્વાદ ભૂખ સંતોષતા અને તેના સ્વાસ્થ્યનું રક્ષણ કરવામાં કમ સે કમ સાડા આઠ હજાર વર્ષ જેટલો સમય વીતી ગયો છે. તે એપિયાકેક પરિવારનો વનસ્પતિ છોડ છે અને તેને ચાઈનીઝ પાર્સલી તરીકે પણ ઓળખવામાં આવે છે. કોથમીરનું મૂળ વતન ભૂમધ્ય દેશો હોવાનું કહેવાય છે. ઇજિપ્ત ઇઝરાયેલના પ્રાચીન સાહિત્યમાં અનેક જગ્યાએ તેનો ઉલ્લેખ છે. મેક્સિકોમાંથી પ્રાપ્ત અનેક પ્રાચીન અવશેષોમાં તેના અસ્તિત્વના પુરાવા મળ્યા છે. ઈજીપ્તના પિરામિડોમાં પણ મમી ની સાથે આ કોથમીર મૂકવામાં આવતી હતી. તેમાંથી ખાસ પ્રકારના ઓઇલ બનાવીને પ્રાચીન ગ્રીસમાં તેનો ઉપયોગ સુગંધી અત્તરનાં નિર્માણ માટે કરવામાં આવતો હતો. રોમન પ્રજાજનો માંસના ભોજનમાંથી માંસની ,। ઢાંકી દેવા તેનો ઉપયોગ કરતા હતા. જો કે કોથમીર સ્વાદ અને સુગંધ અને રૂપના એક સુંદર સમન્વયથી ઘણી વિશેષ હસ્તી છે. તેના ઔષધીય ગુણો તેના ચમકદાર ઘેરા લીલા રંગ અને અલૌકિક સુગંધથી વધુ ઊંડે સુધી પહોચવાની ક્ષમતા ધરાવે છે! નમણી નાજુક કોથમીર આપણા શરીરમાં ઘર કરી ગયેલ ધાતુઓના વિષની સાથે કુસ્તી કરી તેને નિર્મૂળ કરવાની ક્ષમતા ધરાવે છે. તેનામાં ડાયાબિટીસ જેવા ઉપદ્રવને નિયંત્રણમાં લાવવાની સંભાવનાઓ છે. સામાન્ય માણસને કદાચ વિચાર આવે કે શરીરમાં વળી હેવી મેટલ નો આટલો મોટો ભરાવો કેવી રીતે થઇ જાય કે તેની ટોકસિક અસરો શરીરમાં સર્વત્ર વ્યાપી જાય અને તેના નિકાલની વાત એક સમસ્યા બની રહે? હેવી મેટલ આપણું શરીર સ્વીકારતું નથી પણ આપણા શરીરમાં તે અનેક રીતે ઘૂસી જાય છે. નમણી નાજુક કોથમીર તેને મારી હટાવવા સક્ષમ છે. આવી ધાતુઓ આપણા શરીરમાં અનઓર્ગેનિક ફૂડ દ્વારા, કૂવા બોર કે અસલામત પ્રકારના સ્ત્રોતમાંથી પીવાના પાણી દ્વારા, પાણીના અસલામત પુરવઠ દ્વારા, ખોરાકમાં માછલીના વધુ પડતાં ઉપયોગના દ્વારા ડિઓડોરન્ટ્સના ઉપયોગના કારણે, ધૂમ્રપાન કે પરોક્ષ ધૂમ્રપાન દ્વારા, એલ્યુમિનિયમના વાસણમાં રસોઈના કારણે તેમજ એલ્યુમિનિયમ ફોઇલમાં પેક કરેલી ખાદ્ય સામગ્રી દ્વારા, એસિડિટ ની દવાઓ અને વેક્સિનના કારણે અને દાંતમાં મેટલ ફિલીંગ થકી પહોંચે છે. આ ધાતુઓ કેન્સર, હૃદયરોગ, મસ્તિષ્કની બીમારીઓ, ભાવનાત્મક અસમતુલા, કિડનીના રોગ, ફેફસાના રોગ અને નબળા હાડકા સહિતની અનેક ગંભીર આરોગ્ય સમસ્યાઓ પેદા કરે છે. કોથમીરના રાસાયણિક સંયોજનો ઝેરી ધાતુઓને તોડી નાખી તેમને શરીરના વિવિધ અંગોમાંથી દૂર કરે છે. કોથમીર રક્તવાહિનીઓમાં કોલેસ્ટરોલના જમાવને દૂર કરવા માટે અદભૂત રીતે અસરકારક છે. તેમાં રહેલા ઓર્ગેનિક એસિડ્સ ખરાબ કોલેસ્ટરોલ ( કઉક )નું પ્રમાણ ઘટાડે છે અને સારી કોલેસ્ટરોલ ( ઇંઉક )નું પ્રમાણ ઊંચું લઈ આવે છે. તે આર્તિલારીઝમાં જમા કોલેસ્ટરોલને ઓગળી નાખે છે. એથેરોસ્ક્લોરોસિસથી પીડાતા લોકો માટે આ બાબત ઘણી ઉપકારક નીવડે છે. મધુપ્રમેહના દર્દીઓ એટલે કે ડાયાબીટીક લોકોમાં તે શરીરમાં શર્કરાના અસરકારક નિયમનમાં સહાયક બને છે. યુરોપના દેશોમાં કોથમીરનો ઉપયોગ ડાયાબિટીસના પરંપરાગત ઔષધ તરીકે સદીઓથી થઈ રહ્યો છે. બાઇબલ ઓલ્ડ યિંતફિંળયક્ષમિાં પણ કોથમીર નો સ્પષ્ટ ઉલ્લેખ છે. આવે છે, કોલેસ્ટરોલને નીચું લઈ આવવાની અને સુગર ઘટાડવાની તેની ક્ષમતા તેને એક વિશિષ્ટ વનસ્પતિ તરીકેનું સન્માન આપે છે. પ્રતિ 100 ગ્રામ કોથમીર 521 ળલ પોટેશિયમનું પ્રમાણ હોય છે જે તેને એક ખાસ ઔષધીય ક્ષમતા બક્ષે છે. કોથમીરનું સેવન વધારવાની સાથે ખોરાકમાં મીઠાનું પ્રમાણ ન્યુનતમ કરી દેવામાં આવે તો જીવનમાં ચમત્કારો સર્જાઈ શકે છે.

- Advertisement -

કોથમીરના રસ સાથે થોડી હળદર મરી અને દેશી ગોળ લેવાથી શરિરમાં ફરીને લડવાનું બળ પ્રાપ્ત થાય છે

સીલાંત્રો ઉર્ફે કોથમીર, પોતાના રંગ રૂપથી અનેક ગણા વધુ ગુણ ધરાવે છે

રક્તવાહિનીઓમાં કોલેસ્ટરોલના જમાવને દૂર કરવા માટે કોથમીર અદભૂત રીતે અસરકારક છે. તેમાં રહેલા ઓર્ગેનિક એસિડ્સ ખરાબ કોલેસ્ટરોલ (કઉક)નું પ્રમાણ ઘટાડે છે અને સારી કોલેસ્ટરોલ (ઇંઉક)નું પ્રમાણ ઊંચું લઈ આવે છે

- Advertisement -

એન્ટિઓક્સિડન્ટ ક્ષમતા
કોથમીરમાં અન્ય કેટલાક એન્ટીઓક્સિડન્ટની સાથે ક્વેર્સિટિન નામનું એક મહત્વપૂર્ણ એન્ટી ઓક્સિડન્ટ હોય છે. એન્ટીઓક્સિડન્ટ આપણા શરીરમાં પ્રતિક્ષણ ચાલતી કોષીય પ્રવૃત્તિ દરમિયાન ઉત્પન્ન થતા કચરાને નિયંત્રિત કરે છે. તેને ફ્રી રેડીકલ્સ કહેવામાં આવે છે. આ બાબતનું મહત્વ એ છે કે તે વૃદ્ધત્વની પ્રક્રિયાને ધીમી પાડી દઈ કેન્સર ડાયાબિટીસ હૃદયના રોગ,આર્થરાઇટિસ, માક્યુલાર અવ્યવસ્થા, કેન્સર, હ્રદયરોગ અને ડાયાબિટીસ સહિતના રોગની સંભાવનાને ટાળી માણસને યુવાન રાખે છે. કોથમીરનું સેવન આંખો માટે પણ અત્યંત ગુણકારી છે. તમારા ડોકટર તમને ક્યારેય આ વાત ભારપૂર્વક નહી કહે પણ એક વાત બરાબર યાદ રાખજો કે કોથમીર તમને જીવનના અંત સુધી યુવાન રાખવાની ક્ષમતા રાખે છે! તેની વિશિષ્ટ સુગંધ તેના વિશેષ ગુણો વિશે તમને કાંઈક સંકેત આપે છે. પ્રકૃતિની આ જ ભાષા છે. શિયાળો હોય ત્યારે ફક્ત કોથમીર એકલી કે તેની સાથે આંબલા અને અન્ય ઋતુમાં લીંબુ અને આદુનો રસ મીઠું નાખ્યા વીના રોજ પીવો, તેનો સ્વાદ શરૂઆતમાં જચે નહી તો તેમાં થોડુ સિંધાલૂણ નાખો. રોજ નર્ણા કોઠે આ પ્રયોગ કરો અથવા રાત્રે જમ્યા પછી 2 કલાકે આ રસ પીવો, તમારા સ્વાસ્થ્યમાં તે મોટું પરિવર્તન લઈ આવશે.
ચિંતા- અજંપો તણાવમાં ઘણી મોટી રાહત આપી શકે છે
કોથમીરમાં સ્નાયુઓના શિથીકિકરણનો ખાસ ગુણ છે. તે જ્ઞાનતંતુઓને શાંત પાડે છે. તેનામાં નિંદ્રા લાવવાની ક્ષમતા છે. કોથમીરના રસ સાથે થોડી હળદર મરી અને દેશી ગોળ લેવાથી જીવનમાં ફરી લડવાનું બળ પ્રાપ્ત થશે, આ વાત નોંધી લેશો, કોઈ આધુનિક ચિકિત્સકે તમને આ વાત આટલા ભારપૂર્વક ક્યારેય નહી કહી શકે કારણ કે તેઓ સ્વયં જીવન નામની ચીજથી અપરિચિત છે .હું તેમના વિશે શબ્દોની બિલકુલ કરકસર કર્યાં વીના બિન્ધાસ્ત જે સત્ય છે તે લખું છું, કારણ કે મારા માટે અન્ય મેડિકલ ફેકલ્ટીનો આદર કરવા કરતા પૂર્ણ સત્યનું પૂન: સ્થાપન વધુ મહત્વની બાબત છે. આપણે આગળ જોયું તેમ પ્રતિ 100 ગ્રામ કોથમીર 521 મિલીગ્રામ પોટેશિયમ હોય છે. તેની સામે આટલી જ કોથમીર માં ફક્ત 46 મિલિગ્રમ સોડિયમ હોય છે. આ એક આદર્શ પ્રમાણ બની રહે. લોહીના દબાણને નિયંત્રિત કરવામાં તે ઘણું સારું પરિણામ આપે છે. વળી તે જ્ઞાનતંતુઓને પણ શાંત કરે છે અને સુગરને પણ નિયંત્રિત કરે છે. સ્વસ્થ નિંદ્રા માટે આ બાબતો ખાસ્સુ અનુકૂલન પેદા કરે છે .કોથમીરનો ઉકળતી દાળ કે ગરમા ગરમ શાકમાં ન નાખો, પ્રકૃતિએ તેને કેવા સરસ રંગ રૂપ સુગંધ આપ્યા છે તે બાબત પર થોડું ધ્યાન દો અને તેના આ જ વૈભવ સાથે સલાડ ચટણી કે જ્યુસ રૂપે તેને તમારા શરીરમાં જવા દો, તે તમને જીવનનું સૌન્દર્ય બક્ષાશે, આ મારું વચન છે!
એન્ટિ-બેક્ટેરિયલ અને એન્ટી ફંગલ ગુણધર્મ: કોથમીર પ્રાકૃતિક એન્ટી બેક્ટેરિયલ અને એન્ટી ફંગલ તરીકે કામ કરી આપણને સર્વ સામાન્ય ત્વચા વિકાર, ફોડકી, ગડ ગુમડ અને અછબડા જેવી સ્થિતિથી દૂર રાખે છે. ખરજવામાં તેના રસનું રોજ સેવન કરવામાં આવે તો ચોક્કસ પરિણામો મળે જ છે. કોથમીરમાં ઘણી મોટી માત્રામાં હરિતદ્રવ્ય છે, તે શરીરને અંદરથી ડિટોક્સ કરવાની એક સરસ રીત છે. પિત્તાશય, કિડની અને પાચક તત્ત્વોમાંથી વિશને તે બહાર ધકેલી દે છે તેથી શરીરમાંથી વધારાના બેક્ટેરિયાને દૂર કરવામાં મદદ મળે છે, જે સામાન્ય રીતે પરસેવા રૂપે તમારી બગલ અને પગમાં આવતો હોય છે. બેક્ટેરિયા ક્લોરોફિલ (ઉચ્ચ ઓક્સિજનની સામગ્રીને કારણે) નાપસંદ કરે છે, અને આ રીતે, આ કોથમીર તમારા શરીરમાંથી ગંધ દૂર કરી તેને એક ખાસ મન્દ સુગંધ આપે છે.

 

You Might Also Like

સમય કી પુકાર હૈ… યુદ્ધ હિ સાર હૈ….

હડતાળ

ઘેટાંઓનો સ્વામી સંપ્રદાય આજે શું ક્યારેય હિંદુ કે સનાતની હતો જ નહીં એની પ્રમાણ સહિત ક્રોનોલોજી

કાયદાકીય માહિતી મેળવો પછી જ જાવ…

संशयात्मा विनश्यति

TAGGED: Coriander, Dhanbhaji, Greennectar
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ભારતીયોની લાઈફ સ્ટાઈલ બની હાઈફાઈ: સમૃદ્ધિમાં વધારો
Next Article જેના કાર્યમાં ટાઢ, તાપ, ભય, પ્રીતિ, સમૃદ્ધિ અથવા અસમૃદ્ધિ વિઘ્ન કરી શકતા નથી; તે જ પંડિત કહેવાય છે

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News

તાલાલા શહેરમાંથી મંજૂરી વગર રહેતી બાંગ્લાદેશી મહિલા ઝડપાઈ

Khaskhabar Editor Khaskhabar Editor 15 hours ago
संशयात्मा विनश्यति
લગ્નની લાલચ અને પુત્રીને પિતાનું નામ અપાવવાનું કહી વારંવાર આચર્યું દુષ્કર્મ
જૂનાગઢ વહીવટી તંત્ર દ્વારા જિલ્લા અને તાલુકા કક્ષા કંટ્રોલરૂમ કાર્યરત
જૈન વિઝનનું દેશભક્તિ દર્શાવતુ પગલું: સોમવારથી રોજ રક્તદાન કેમ્પ આયોજન
માંગરોળ બંદર દરિયા કાંઠે મરિન ટાસ્ક ફોર્સના કમાન્ડો તૈનાત
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Author

સમય કી પુકાર હૈ… યુદ્ધ હિ સાર હૈ….

Khaskhabar Editor Khaskhabar Editor 15 hours ago
Kinnar Acharya

હડતાળ

Khaskhabar Editor Khaskhabar Editor 15 hours ago
Author

ઘેટાંઓનો સ્વામી સંપ્રદાય આજે શું ક્યારેય હિંદુ કે સનાતની હતો જ નહીં એની પ્રમાણ સહિત ક્રોનોલોજી

Khaskhabar Editor Khaskhabar Editor 15 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?