ગીરની મુલાકાતમાં વન અને પર્યાવરણની સંસદીય સમિતિનું તારણ
પોરબંદર નજીક વધુ એક સેન્ચ્યુરી જાહેર કરવાની વનતંત્રએ તૈયારી દર્શાવી
- Advertisement -
માલધારીઓને ગીરની બહાર જમીન આપવાની સરકારને ભલામણ કરવા બાહેંધરી
ખાસ-ખબર સંવાદદાતા
વિસાવદર, : વન અને પર્યાવરણ વિભાગની સંસદીય સ્થાયી સમિતિ આજે ગીર પંથકની મુલાકાતે આવી પહોંચી હતી. વહેલી સવારથી ગીર જંગલમાં મુલાકાત લઈ અભ્યાસ કર્યો હતો. જેમાં સિંહો માટે રહેઠાણ ટૂંકુ પડી રહ્યું છે અને વધુ અભયારણ્ય (સેન્ચ્યુરી)ની તાતી જરૂરિયાત હોવાનું કમિટી સરકારને રજૂઆત કરશે. ગીરના માલધારીઓની મુલાકાત દરમિયાન તેઓએ ગીરની બહાર જમીન અને નાણા આપવાની માગણી કરતા આ અંગે સરકારે 1500 એકર જેટલી જમીન બહાર આપી પુન: વસવાટ કરાવવો જરૂરી હોવાનો અભિપ્રાય આપ્યો હતો.
- Advertisement -
ગીરની મુલાકાત દરમિયાન વન અને પર્યાવરણ વિભાગની સંસદીય સ્થાયી સમિતિના 20થી વધુ સભ્યોએ વહેલી સવારથી ગીરના જંગલ વિસ્તારની મુલાકાત લીધી હતી. જ્યાં સિંહ દર્શન કર્યા હતા અને ગીરમાં વસવાટ કરતા નેસડાઓના માલધારીઓની રૂબરૂ મુલાકાત લીધી હતી. આ રૂબરૂ મુલાકાત દરમિયાન માલધારીઓએ સંસદીય સ્થાયી સમિતિ સમક્ષ માંગણી કરી કે ’સરકાર માત્ર નાણાં આપી ગીરની બહાર ખસેડવા પ્રયત્ન કરી રહી છે. પરંતુ માત્ર નાણાં જ નહીં, માલઢોર અને પોતાના પરિવારના નીભાવ અને અર્થે જમીન પણ આપવાની માંગ
કરી હતી.