માઈગ્રેન એક કઠિન અને લાંબા સમય સુધી ચાલતો માથાનો દુખાવો છે, જે તણાવ અને અનિયમિત જીવનશૈલીથી વધુ વધી શકે છે. દવાઓ વિના રાહત મેળવવા માટે, અહીં કેટલાક અસરકારક આયુર્વેદિક અને ઘરેલું ઉપાયો જણાવી રહ્યા છીએ.
માઈગ્રેન એ એક એવો માથાનો દુખાવો છે જે લાંબા સમય સુધી રહી શકે છે અને અનેક મુશ્કેલીઓ ઊભી કરી શકે છે. તણાવ, અનિયમિત જીવનશૈલી, ઊંઘની કમી અને ખોટી ખાવાપીવાની આદતોના કારણે આ સમસ્યા વધુ વધી શકે છે. જો તમે દવાઓ વિના આ પીડાથી છુટકારો મેળવવા માંગો છો , તો તમે આયુર્વેદિક ઉપાયો અજમાવી શકો છો. આજે, આપણે માઈગ્રેન માટે અસરકારક અને સરળ ઘરેલું ઉપાયો વિશે જાણશું, જેનાથી તમારે કોઈ દવાની જરૂર નહીં પડે અને તેની કોઈ આડઅસર પણ નહીં થાય.
- Advertisement -
આખા ધાણાની ચા
આયુર્વેદ મુજબ, ધાણાના બીજમાં બળતરા વિરોધી અને એન્ટીઑક્સિડન્ટ ગુણધર્મો હોય છે, જે માઈગ્રેનના દુખાવાને ઘટાડે છે. આ ચા રક્ત પરિભ્રમણ સુધારે છે અને તણાવ ઘટાડવામાં સહાય કરે છે. આના લાભની વાત કરવામાં આવે તો , માઈગ્રેનથી રાહત આપે. તામારી તણાવ અને ચિંતા ઘટાડે અને ઊંઘની ગુણવત્તા સુધારે.
બનાવવાની રીત
- Advertisement -
1 ચમચી આખા ધાણા લો.
1 કપ પાણી ઉકાળો અને તેમાં આખા ધાણા ઉમેરો.
5-7 મિનિટ ઉકાળી, પછી ગેસ બંધ કરો અને 2-3 મિનિટ ઠંડું થવા દો.
ગાળી લો અને તેમાં 1 ચમચી મધ અને ½ ચમચી લીંબુનો રસ ઉમેરો.
આ ચાને ધીમે-ધીમે પીવો.
તજ અને મધની પેસ્ટ
તજ અને મધ બંને પીડા નિવારક ગણાય છે. તજમાં બળતરા વિરોધી ગુણધર્મો હોય છે, જ્યારે મધ કુદરતી પીડાનાશક છે. આના લાભ અનેક છે જેમ કે માથાના રક્ત પરિભ્રમણમાં સુધારો કરે. તણાવ ઘટાડે અને ખાસ તો તામારી બિમારીથી તમને તાત્કાલિક રાહત આપે છે.
બનાવવાની રીત
1 ચમચી તજ પાવડર અને 1 ચમચી મધ લો.
બંનેને સારી રીતે મિક્સ કરો.
આ પેસ્ટને કપાળ પર લગાવો અને 15-20 મિનિટ સુધી રાખો.
પછી હળવા ગરમ પાણીથી સાફ કરી લો.આ બે ઉપાયો અજમાવવાથી તમને માઈગ્રેનના દુખાવાથી છુટકારો મળી શકે છે અને દવાઓ પરની નિર્ભરતા ઓછી થઈ શકે છે.