મઢડા સોનલધામ ખાતે ભજન, ભોજન, ભક્તિનો ત્રિવેણી સંગમ
ધર્મ ગુરૂઓની ઉપસ્થિતિમાં આઇ માં શતાબ્દી મહોત્સવની ઉજવણી
- Advertisement -
સંતો-આગેવાનોની ઉપસ્થિતીમાં ચરજ સમાજનું અજવાળુ પુસ્તક વિમોચન
ખાસ-ખબર સંવાદદાતા
કેશોદ તાલુકાના મઢડા ગામે આવેલ સોનલધામમાં આઇશ્રી સોનલ માંનો શતાબ્દી મહોત્સવના પ્રારંભે મોરારિબાપુના હસ્તે દિપ પ્રાગટ્ય કરી ઉત્સવની શરૂઆત કરવામાં આવી હતી. જેમાં દેશ-વિદેશથી આઇ માં મંદિરના સંચાલકો સહિત પદ્મશ્રી ભીખુદાનભાઇ ગઢવી, જગતગુરૂ શંકરાચાર્ય સદનાનંદ સરસ્વતીજીના શિષ્ય નારાયણનંદજી સહિતના ચારણ સમાજના અગ્રણી આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.સોનલધામ ખાતે આઇ માં શતાબ્દી મહોત્સવમાં ભજન, ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગભ જોવા મળી રહ્યો છે. આ શતાબ્દી મહોત્સવ પ્રસંગે મહિલાઓની પ્રતિભાને ઉજાગર કરતુ ચરજ સમાજનું અજવાળુ નામના પુસ્તકનું વિમોચન મોરારિબાપુ તેમજ ઉપસ્થિત આગેવાનો દ્વારા કરવામાં આવ્યુ હતુ. તેની સાથે ચારણ સમાજના દિકરા દિકરીઓને મંચ પર બેસાડીને માતાજીની સ્તૃતિ વંદના કરવામાં આવી હતી અને ત્યાર બાદ ઉપસ્થિત મહેમાનોનું આયોજક દ્વારા સોનલધામ મંદિરનું સ્તૃતિ ચિત્ર તેમજ શાલ ઓઢાડી સન્માન કવામાં આવ્યુ હતુ. સોનલ ધામ ખાતે આઇ માં શતાબ્દી મહોત્સવ પ્રસંગે પધારેલા મોરારિબાપુએ જણાવ્યુ હતુ કે, આઇશ્રી સોનલ માતાજી માં સાતે સાત વિભૂતી બિરાજમાન છે. તેવી પ્રતિતિ સાથે હું અહીંયા આવ્યો છું. તેમજ વધુમાં જણાવ્યુ હતુ કે, અયોઘ્યામાં પ્રભુશ્રી રામ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઇ રહી છે તે સમગ્ર વિશ્ર્વ માટે ગૌરવની વાત છે અને હું જીંદગીભર રામકથા કરતો આવ્યો છું. ત્યારે શ્રીરામની પ્રાણ પ્રતિષ્ઠા પ્રસંગમાં જવાનો છું. તેમ જણાવ્યુ હતુ.
મઢડા સોનલધામ ખાતે તા.13 સુધી ચાલનાર શતાબ્દી મહોત્સવમાં ધાર્મિક તથા સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે દેશના નામાંકિત ભજનિક કલાકારો તેમજ લોકશાહિત્યકારો દ્વારા આઇ માં જીવન ચરીત્ર વિશે ભજન તેમજ સોનલ માંએ કરેલા સામાજીક કાર્યોને બિરદાવ્યા હતા. તેની સાથે બહોળી સંખ્યામાં માઇભકતો ઉપસ્થિત રહ્યા હતા અને ભોજન પ્રસાદ સાથે ભજનની રમઝટનો લાભ લીધો હતો. ત્યારે આવતીકાલે ગુજરાત રાજ્યના રાજયપાલ આચાર્ય દેવવ્રતજી ઉપસ્થિત રહેવાના છે.