શહેરના ન્યારી ડેમ રોડ પર અત્યાધુનિક સુવિધાથી સજ્જ વિશાળ પાર્ટી લૉન્સનું મોઢા વણિક મહાજન દ્વારા કરાયું નિર્માણ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.27
- Advertisement -
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના વંશજ-જ્ઞાતિજનો એવા મોઢ વણિક જ્ઞાતી દ્વારા એક નવી જ પહેલ કરવામાં આવી છે. રાજકોટની 150 વર્ષથી વધુ જૂની સંસ્થા શ્રી મોઢ વણિક મહાજન રાજકોટ દ્વારા શહેરના ન્યારી ડેમ રોડ પર ઓટીબીની સામે ભવ્ય પાર્ટી લોનાનું નિર્માણ કરવામાં આવ્યું છે. ઉજમશીભાઈ વીરચંદભાઈ વોરા મોઢ વણિક કેમ્પસ તથા પાર્ટી લોન્સનું આગામી તા.31ને રવિવારના રોજ જગદગુરુ શ્રીમદ વલ્લભાચાર્ય પ્રાગટલ પીઠાધીસ્વર સોમથાજી દીક્ષિત અનંત વિભૂષિત પૂ.પા.ગો.108 શ્રી વરકેશલાલજી મહોદય ચંપારણ્યના હસ્તે સમજાર્પણ કરવામાં આવશે.
શ્રી મોઢ વણિક મહાજન રાજકોટ દ્વારા નવા યુગમાં એક નવા જ પગલાના મંડાણ કરવામાં આવ્યા છે. સવાસો વર્ષે જ્ઞાતિજનોને કંઈક સવાયું આપવાના ઉમદા ઉદ્દેશ સાથે મોઢ વણિક મહાજનના પ્રમુખ ભાગ્યેશભાઈ વોરા, મેનેજિંગ ટ્રસ્ટી કિરેનભાઈ છાપીયા, ઉપપ્રમુખ સુનિલભાઈ વોરા, મંત્રી અશ્વિનભાઈ વડોદરિયા, સહમંત્રી કેતનભાઈ પારેખ, ખજાનથી નીતિનભાઈ વોરા, ટ્રસ્ટી સંજયભાઈ મણિયાર, જગદીશભાઈ વડોદરિયા, ઈલેશભાઈ પારેખ અને ધર્મેશભાઈ વોરાની ટીમ દ્વારા અથાગ પરિશ્રમ બાદ યુવીએમસી પાર્ટી લોન્સના નિર્માણના ભગીરથ કાર્ય પાર ઉતારવામાં આવ્યું છે. આ પાર્ટી લોન્સમાં જ્ઞાતિજનો પોતાના વિવિધ સામાજિક પ્રસંગોની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરી શકશે. અંદાજે 30,000 ચોરસ ફૂટના આ પાર્ટી લોન્સ સાથે આધુનિક કોન્ફરન્સ હોલ, વિવિધ સગવડતા સાથેના પાંચ એસી રૂમ અને અલ્ટ્રા મોડર્ન કિચન સહિતના આધુનિક સંકુલનું નિર્માણ કરવામાં આવ્યું છે. જેને જ્ઞાતિના ઉસ્થાન માટે સેવાનો ભેખધારણ કર્યો હતો તેવા જ્ઞાતિ રત્ન ઉજમશીભાઈ વીરચંદલાઈ વોરા મોઢ વણિક કેમ્પસ તથા પાર્ટી લોન્સ નામ આપવામાં આવ્યું છે.
આગામી 31મી માર્ચને રવિવારના રોજ સાંજે 5:00 કલાકે આ નવીનતમ સોપાનનું લોકાર્પણ કરવામાં આવશે.આ સાથે “ભક્તિ કે રંગ શ્રીજી કે સંગ શીર્ષક હેઠળ પુષ્ટિમાર્ગીય ભક્તિ સંગીતના ગીતો તથા સન્માન પુષ્પો થકી દાતાઓને બિરદાવશે અને વિરાટ જ્ઞાતિ ભોજનનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
- Advertisement -
લોકાપર્ણ સમારોહના અધ્યક્ષ તરીકે મોઢમહોદયના અધ્યક્ષ હર્ષદભાઈ શાહ તેમજ મુખ્ય મહેમાન તરીકે મુકેશભાઇ દોશી,ડી. વી. મહેતા, રાજેન્દ્રભાઈ ધારૈયા, કલ્પનાબેન એ. વડોદરિયા, પરપની ભારતીબેન એચ. શાહ, અંજનાબેન જે. વડોદરિયા, અજયભાઈ એન. પરીખ, શારદાબેન પી. પારેખ, રક્ષિતભાઈ કામદાર, સુરેન્દ્રભાઈ ગાંધી, ભાવેશભાઈ પારેખ, મગનભાઈ દોશી, કિરીટભાઈ બખાઈ. પરિનભાઈ એ. શાહ, મિલનભાઈ પી. વોરા. જીરેનભાઈ છાપીયા, પંકજભાઈ રાઠોડ, ડો. યોગેશભાઈ મહેતા, બી જ્યોતિન્દ્રભાઈ પારેખ, દેવેન્દ્રભાઈ મણિયાર, મ યશભાઈ રાઠોડ, શ્રી કેતનભાઈ મેસ્વાણી, અતુલભાઈ રાહોડ, ભાવનાબે ન ડી બખાઈ. કૃણાલભાઈ મણિયાર, સુનિલભાઈ વખાઈ.,ગીરીશભાઈ શાહ, જગદીશભાઈ ભાડલીયા, અશોકભાઈ ભાડલીયા, કિશોરભાઈ ભાડલીયા.. અશ્વિનભાઈ પટેલ, કિરીટભાઈ પટેલ, વિપુલભાઈ બખાઈ. બીજયશ્રીબેન પટેલ અરવિદભાઈ શાહ, શશિકાંતભાઈ ગાંધી સહિતનાઓ ઉપસ્થિત રહશે.
પાર્ટી લોન્સના બુકિંગ માટે કેતનભાઇ પારેખ, શ્રીજી ઇલેક્ટ્રોનિક્સ, મનીષ કોમ્પલેક્ષ અક્ષર માર્ગ રાજકોટ ખાતે સંપર્ક કરવા અપીલ કરવામાં આવી છે. મોઢ વણિક મહાજનના આ નવીનતમ સોપાનની સર્વત્ર સરાહના થઈ રહી છે.આ ઐતિહાસિક અવસરના સાક્ષી બનવા લોકાર્પણ, ‘ભક્તિ કે રંગ શ્રીજી સંગ’ અને વિરાટ જ્ઞાતિ ભોજનમાં જ્ઞાતિજનોને હોંશભેર સામેલ થવા માટે મોઢ વણિક મહાજન ટ્રસ્ટના પ્રમુખ ભાગ્યેશ વોરા, મેને. ટ્રસ્ટી કીરેન છાપીયા, ઉપ પ્રમુખ સુનિલ વોરા, મંત્રી અશ્વિન વડોદરિયા, સહમંત્રી કેતન પારેખ, ખજાનચી નીતિન વોરા, ટ્રસ્ટી જગદીશ વડોદરિયા, ટ્રસ્ટી સંજય મણિયાર, ટ્રસ્ટી ઈલેશ પારેખ, ટ્રસ્ટી ધર્મેશ વોરા સ્નેહ નીતરતું નિમંત્રણ પાઠવવામાં આવ્યુ છે.