ખાસ-ખબર સંવાદદાતા
મેયર ડો.પ્રદિપ ડવ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઈ પટેલ, મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલ એક યાદીમાં જણાવે છે કે, રાજકોટ શહેરના લોકોને શહેરી પરિવહન સેવા પુરી પાડવા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં હાલમાં 70 ડીઝલ અને 27 ઇલેક્ટ્રિક બસ તથા બી.આર.ટી.એસ.માં 20 ઇલેક્ટ્રિક એ.સી. બસ ચલાવવામાં આવી રહી છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રક્ષાબંધનના પવિત્ર પર્વ નિમિતે સિટી બસ સેવા તથા બી.આર.ટી.એસ. બસ સેવામાં બહેનો માટે દર વર્ષની પરંપરા મુજબ ફ્રી મુસાફરી કરવાની સુવિધા આપવાનું આ વર્ષે પણ નક્કી કરવામાં આવેલ છે. આગામી તા.30-08-2023ને બુધવારના રોજ રક્ષાબંધનના પવિત્ર તહેવારના દિવસે કોઈપણ રૂટ પર ગમે તેટલી વખત ફક્ત બહેનો નિ:શુલ્ક મુસાફરી કરી શકશે. જયારે પુરુષોએ તેઓની મુસાફરી દરમ્યાન રાબેતામુજબ જ નિયત દરની ટીકીટ લેવાની રહેશે.