કેમ્પની સાથે સાથે રવિવારે કાન-નાક-ગળાના રોગોના નિદાનનું પણ આયોજન
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
શ્રી પુજીત રૂપાણી મેમોરીયલ ટ્રસ્ટ તથા રોટરી ક્લબ ઓફ રાજકોટ મીડટાઉનના સંયુક્ત ઉપક્રમે તા. 22ના રોજ રવિવારે, સવારે 9 થી 11 વિનામૂલ્યે શ્રવણયંત્ર (હિયરીંગ એઇડ) વિતરણ તથા કાન-નાક-ગળાના રોગોનું નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
- Advertisement -
જરૂરિયાતમંદ દર્દીઓને વહેલા તે પહેલાના ધોરણે વિનામૂલ્યે શ્રવણયંત્ર (બહેરાશમાં ઉપયોગી થતું મશીન) ડોક્ટરની સલાહ મુજબ વિતરણ કરવામાં આવશે. આ ઉપરાંત જે દર્દીઓને કાન, નાક કે ગળાની નાની મોટી તકલીફો રહેતી હોય. કાકડા વધવા, કાનમાં રસી આવવી, અવાજ બેસી જતો હોય, શરદી રહેતી હોય. નાકમાં મસા રહેતા હોય આવા કોઈ પણ રોગોનું સચોટ નિદાન રાજકોટના નામાંકિત ડોક્ટર ડો.જતિનભાઈ મોદી, ડો.નિરવભાઈ મોદી, ડો.વૈભવભાઈ હાપલિયા, ડો.દર્શનભાઈ ભટ્ટ. ડો.સેજલબેન ભટ્ટ. ડો. જૂહીબેન મણિયાર દ્વારા કરવામાં આવશે.જરૂરિયાતમંદ દર્દીઓને શ્રવણ યંત્ર સ્ટોક હશે ત્યાં સુધી વિનામૂલ્યે વહેલા તે પહેલાના ધોરણે વિતરણ કરવામાં આવશે. આ કેમ્પને સફળ બનાવવા ટ્રસ્ટના ટ્રસ્ટી અંજલીબેન રૂપાણી, મહેશભાઇ ભટ્ટ તથા અમીનેશભાઈ રૂપાણી માર્ગદર્શન હેઠળ મેડિકલ કમિટી મેમ્બર્સ જહેમત ઉઠાવી રહ્યા છે. કેમ્પ અંગે વિશેષ માહિતી માટે ટ્રસ્ટના વહીવટી અધિકારી ભાવેનભાઈ ભટ્ટનો શ્રી પુજીત રૂપાણી મેમોરીયલ ટ્રસ્ટ, ’કિલ્લોલ, 1-મયુરનગર, રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન (પૂર્વઝોન) સામે, ભાવનગર રોડ, રાજકોટ ખાતે રૂબરૂ અથવા ફોન નં.0281-2704545 પર સંપર્ક કરવાનો રહેશે.