3 નિર્દોષ માનવ જિંદગી હોમાઈ
આગની ઘટનામાં ચાર જેટલી દુકાન અને 3 બાઈક બળીને ખાખ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.7
જૂનાગઢના ઝાંઝરડા ચોકડી વિસ્તારમાં આજે સવારે એક ગંભીર દુર્ઘટના સર્જાઈ હતી. ગેસની લાઈન તૂટવાના કારણે ભયંકર આગ ફાટી નીકળી હતી. આ દુર્ઘટનામાં એક બાળકી સહિત ત્રણ વ્યક્તિઓના મોત નીપજ્યાં છે. જ્યારે ચારથી વધુ લોકોને ગંભીર ઇજા પહોંચી છે. ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. બનાવની જાણ થતાં ફાયર વિભાગની ટીમ પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવવાની કાર્યવાહી હાથ ધરી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર જુનાગઢના ઝાંઝરડા રોડ પાસે ખોદકામ ચાલી રહ્યું હતું તે દરમિયાન ગેસ લાઇન તૂટતાં ભયંકર બ્લાસ્ટ થયો હતો અને ત્યારબાદ વિકરાળ આગ લાગી હતી. આ ઘટનામાં ત્રણ લોકોના મોત થયા છે, જ્યારે ચાર લોકો દાઝી જતાં તેમને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. તો બીજી તરફ વિકરાળ આગે સાતથી આઠ વાહનો અને આઠ જેટલી દુકાનોને ચપેટમાં લીધી હતી. ઘટનાની જાણ થતાં ફાયર અને 108 એમ્બ્યુલન્સની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી. હાલ આગ ઓલવવાનો પ્રયાસ ચાલી રહ્યો છે. આ વિસ્તારમાં આસપાસ ખાણીપીણીને દુકાનો અને પાનના ગલ્લા આવેલા હોવાથી આગ ઝડપથી ફેલાઇ હતી. ફાયરની ટીમ આગ ઓલવવા માટે સતત પાણીનો મારો ચલાવી રહી છે.આકસ્મિક આગની જાણ થતાં તાત્કાલિક જિલ્લા કલેક્ટર, પોલીસ અધિકારીઓ અને તંત્રના અન્ય અગ્ર અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. જનતાની ભીડ એકત્ર ન થાય તે માટે અને રાહત કાર્ય સુચારુ રહે તે હેતુથી પોલીસ દ્વારા ઝાંઝરડા ચોકડી તરફ જતાં માર્ગોને અસ્થાયી રીતે બંધ કરી દેવામાં આવ્યા હતા. હાલ આ રોડ કોર્ડન કરીને બંધ કરી દેવામાં આવ્યો છે. આગના કારણે થયેલા નુકસાનનો આંકડો હજુ સ્પષ્ટ થયો નથી, પરંતુ દુકાનો સહિતના વ્યવસાયિક એકમોને પણ નુકસાન થવાનું માનવામાં આવી રહ્યું છે. આ સમગ્ર ઘટનાની તાત્કાલિક તપાસ શરૂ કરવામાં આવી છે અને અધિકારીઓ દ્વારા દોષિત લોકો સામે કડક પગલાં લેવામાં આવશે તેવી શક્યતા છે.
મનપાની અણઆવડત સામે શહેરીજાનોમાં રોષ
- Advertisement -
જૂનાગઢ કલેકટર દ્વારા તપાસના આદેશ અપાયા : મનપા કમિશ્નર
જૂનાગઢ મનપા કમિશ્નર ડો. ઓમ પ્રકાશે ખાસ ખબર સાથે વાત કરતા જણાવ્યું કે, જિલ્લા કલેકટર દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે અને આજે ઝાંઝરડા ચોકડી પાસે જે ખાડો ખોદવમાં આવી રહ્યો હતો તે ચોકડી પાસે પાણી ભરવાની સમસ્યાના લીધે કામગીરી કરવામાં આવી રહી હતી પણ ગેસ લાઈન મંજૂરી હતી કે કેમ તે બાબતે તપાસ કરી રિપોર્ટ તૈયારકરવામાં આવશે.
PGVCLને જાણ કર્યા વગર ખાડો ખોદાતો હતો’
PGVCLકના લાઇનમેનને જણાવ્યું હતું કે, આ જગ્યાએ PGVCLકને કોઈ પણ પ્રકારની જાણ કર્યા વગર ઉંઈઇ મારફતે અંડરગ્રાઉન્ડ ખાડો ખોદવામાં આવી રહ્યો હતો. ખોદકામ દરમિયાન ગેસ પાઇપલાઇનને નુકસાન થતાં તરત જ સ્પાર્ક થયો હતો અને ત્યારબાદ જ ભયંકર આગ લાગી હતી.
મનપાનાં ઉંઈઇએ ખાડો ખોદતા ગેસ લાઈનમાં વિકરાળ આગ લાગી
મનપા તંત્રના આડેધડ ખોદકામથી માનવ જિંદગી હોમાઈ: વિપક્ષ નેતા
JCB ગેસ લાઈનને અડતાં આગ ભભૂકી
આ દુર્ઘટનાની અંગે મળતી માહિતી મુજબ શહેરના ઝાંઝરડા રોડ પર કોઈપણ અધિકૃત મંજૂરી વિના JCBદ્વારા ખાડો ખોદવામાં આવી રહ્યો હતો ત્યારે JCB ગેસ લાઈનને અડતાં અચાનક સ્પાર્ક બાદ વિસ્ફોટ થઇને આગ લાગી હતી. આ ઘટનામાં હજુ સુધી ત્રણ લોકોના મોત નીપજ્યાની પુષ્ટિ થઈ છે, જ્યારે પાંચ લોકો ગંભીર રીતે દાઝી ગયા છે અને તેમને સારવાર માટે તાત્કાલિક જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
ગઈકાલે મધુરમ બાયપાસ પર ગેસ લીકેજની ઘટના બની હતી
ગઈકાલે મધુરમ બાયપાસ રોડ પર મંગળવારે એક મોટી દુર્ઘટના ટળી ગઈ છે. ભૂગર્ભ ગટરની કામગીરી દરમિયાન ટોરેન્ટ ગેસની પાઇપલાઇનમાં લીકેજ થયું હતું. ઘટનાસ્થળે વીજળીનો તાર પણ પસાર થતો હોવાથી પરિસ્થિતિ વધુ ચિંતાજનક બની હતી. ત્યારે આ ઘટના થયા બાદ ટોરેન્ટ ગેસના અધિકારીને પૂછતા તેમને પણ કબૂલ્યું હતું કે અહીં કામ કરવા માટે અમને કોઈએ પૂછ્યું નથી અને આ આકસ્મિક ઘટના છે આમાં કંઈ પણ બને તેની જવાબદારી અમારી નથી. સુરક્ષાના ભાગરૂપે વાહન વ્યવહાર તાત્કાલિક બંધ કરવામાં આવ્યો હતો. ટોરેન્ટ ગેસના કર્મચારીઓએ તુરંત જ ગેસ સપ્લાય બંધ કરી રિપેરિંગની કામગીરી શરૂ કરી હતી.
મૃતક:
1. રૂપિબેન શૈલેષ ભાઈ સોલંકી- 40 વર્ષ
2. ભક્તિબેન શૈલેષભાઈ સોલંકી-4 વર્ષ
3. હિરેનભાઈ રાબડીયા- 50 વર્ષ