મહાશિવરાત્રિના તહેવાર પર ભક્તો ભોલેનાથને તેમની પંસદની વસ્તુઓ અર્પણ કરે છે અને પછી તેનુ સેવન કરે છે. ભગવના શિવને ઠંડાઈ પસંદ છે. એટલે શિવરાત્રિ પર લોકો ઠંડાઈ બનાવે છે અને તેનુ સેવન કરે છે.
મહાશિવરાત્રિનો તહેવાર આજે 18 ફેબ્રુઆરીના ઉજવવામાં આવી રહ્યો છે.મહાશિવરાત્રિના દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીના લગ્ન થયા હતા. આ દિવસે શિવભક્તો ભગવાન શંકરની પૂજા કરે છે અને ઉપવાસ રાખે છે. ઉપવાસમાં ફરાળ કરવામાં આવે છે. પોષક તત્વોવાળા ખાદ્ય પદાર્થ ખાવામાં આવે છે. મહાશિવરાત્રિના તહેવાર પર ભક્તો ભોલેનાથને તેમની પંસદની વસ્તુઓ અર્પણ કરે છે અને પછી તેનુ સેવન કરે છે. ભગવના શિવને ઠંડાઈ પસંદ છે. એટલે શિવરાત્રિ પર લોકો ઠંડાઈ બનાવે છે અને તેનુ સેવન કરે છે.જો તમે પણ શિવરાત્રિ પર ઘરે જ ઠંડાઈ બનાવવા માંગો છો તો અહીં ઠંડાઈ બનાવવાની રેસિપી જણાવવામાં આવી રહીછે. આ રેસિપીથી તમે ઘરે સ્વાદિષ્ઠ ઠંડાઈ બનાવી શકો છો.
- Advertisement -
ઠંડાઈ બનાવવા માટેની સામગ્રી
લીલી એલચીના દાણા, અડધી ચમચી વરિયાળી, અડધી ચમચી દળેલા કાળા મરી, અડધી ચમચી દળેલી કોથમીર, તરબૂચના બીજ, દળેલી બદામ, ગુલાબજળની પાંદડી, દૂધ.
ઠંડાઈ બનાવવાની રેસીપી
સ્ટેપ 1- ઠંડાઈ બનાવવા માટે એક તવા પર લીલી એલચી, વરિયાળી, કાળા મરી, કોથમીર, તરબૂચના દાણા અને બદામ લો.
સ્ટેપ 2- હવે આ શેકેલા મસાલાને લગભગ બે કલાક પાણીમાં પલાળી રાખો.
સ્ટેપ 3- પલાળેલા મસાલાને મિકસરમાં નાંખી તેની પેસ્ટ તૈયર કરો.
સ્ટેપ 4- હવે ઠંડાઈની પેસ્ટમાં દૂધ નાખો.
સ્ટેપ 5- હવે આ લિક્વિડને મલમલના કપડામાં ગાળી લો.
સ્ટેપ 6- હવે તેને ઠંડુ કર્યા બાદ ગુલાબની પાંદડીઓ નાખીને સર્વ કરો.
- Advertisement -