ખાસ-ખબર ન્યૂઝ ગિર સોમનાથ, તા.19
ગીર સોમનાથ જિલ્લાના તાલાલા ખાતે આવેલ બાગાયત કચેરી સામે ખેડૂતોએ ધરણા પ્રદર્શન શરૂૂ કર્યું છે.ખેડૂતોનો આક્ષેપ છે કે રાજ્ય સરકાર દ્વારા કેસર કેરીના પાક બાબતે જે સર્વે હાથ ધરવામાં આવ્યું હતું તેમાં ખેડૂતોને દોષિત ઠેરવવામાં આવ્યા છે. આ વિરોધ પ્રદર્શનમાં આપ નેતા પ્રવીણ રામ સહિત બહોળી સંખ્યામાં ખેડૂતો જોડાયા છે.
તાલાળામાં કેસર કેરીના સર્વે બાબતે ખેડૂતોમાં રોષ, બાગાયત કચેરી સામે ધરણાં પ્રદર્શન
