રેલવેમાં જુનિયર ક્લાર્ક, PIની નોકરી અપાવી દેવાનું કહી DRM ઓફિસે પણ લઈ ગયો હતો
ફરિયાદી ગૌરાંગ અશોકભાઈ પરડવાએ આરોપી વિનિત દવે વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી
- Advertisement -
જૂનાગઢ ફેમિલી કોર્ટમાં ડ્રાઇવર તરીકે નોકરી કરતા વિનીત દવે નામના શખ્સે ઉુજઙ તરીકે ખોટી ઓળખ આપીને અનેક લોકોને સરકારી નોકરીના નામે છેતર્યા હોવાનું સામે આવ્યું હતું ત્યારે આરોપી વિનિત વિરુદ્ધ રાજકોટમાં છેતરપિંડીની વધુ એક ફરિયાદ નોંધાય છે. જ્યાં રાજકોટના બે ભાઈઓને અનુક્રમે રેલવેમાં તથા પી.આઈ. તરીકે નોકરીની લાલચ આપી આરોપી વિનીતે રૂપિયા 25.50 લાખની છેતરપિંડી આચરી હતી.
જેમાં આદિત્ય બિરલા હેલ્થ ઈન્સ્યોરન્સમાં બિઝનેશ ડેવલપમેન્ટ મેનેજર તરીકે નોકરી કરતા ફરિયાદી ગૌરાંગ અશોકભાઈ પરડવાએ આરોપી વિનિત દવે વિરુદ્ધ ફરિયાદ દાખલ કરતા જણાવ્યું હતું કે, તેમના મોટાભાઈ ગુંજનભાઈ કેફેમાં વર્કર તરીકે કામ કરે છે ત્રણેક માસ પહેલા અશોક ગોંડલ ખાતે રહેતા બેન હર્ષિદાબેન રાજુભાઈ વાણીયાના ઘરે ગયો હતો. ત્યારે તેના પાડોશમાં રહેતા મનીષાબેન સોલંકીએ તેના બહેનને વાત કરી હતી કે તેના પુત્ર ક્રિષ્નાને ગોંડલમાં રહેતા શૈલેન્દ્ર વ્યાસ ઉર્ફે અદા દ્વારા રેલવેમાં પટ્ટાવાળા તરીકે નોકરી મળી છે. જેથી તમારે પણ સરકારી નોકરી લેવી હોય તો હું અદાને વાત કરીશ. તેવી વાત કરી હતી અને અશોકને મનીષાબેને અદાનો મોબાઈલ નંબર આપ્યો હતો. બે દિવસ પછી અદાનો અશોકના મોબાઈલમાં કોલ આવ્યો હતો. જેણે વિનીત બંસીલાલ દવે ઉઢજઙ છે. જે મારા કોન્ટેક્ટમાં છે. તેને ડાયરેક્ટ સેટીંગ છે. શૈલેન્દ્ર વ્યાસ ઉર્ફે અદાએ જણાવ્યું હતું.
જેથી અશોકએ કહ્યું હતું કે મારા મોટાભાઈ ને રેલવેમાં સરકારી નોકરીએ લગાડવાના છે કેટલા રૂપિયા થશે જેના પ્રત્યુતર સ્વરૂપે શૈલેન્દ્ર વ્યાસ ઉર્ફે અદાએ જણાવ્યું હતું કે રૂપિયા 18 લાખ થશે. જેથી આ મામલે અશોકએ પરિવારજનો સાથે વાતચીત કરી હતી અને પરિવારજનોએ સહમતિ દર્શાવતા તેણે આગળની પ્રોસિજર કરવા માટે શૈલેન્દ્ર વ્યાસ ઉર્ફે અદાને હા પાડી હતી. એ વખતે શૈલેન્દ્ર વ્યાસ ઉર્ફે અદાએ જણાવ્યું હતું કે તેણે કહ્યું કે મનીષાબેનના પુત્ર ક્રિષ્નાને વિરપુર રેલવેમાં હાજર કરવાનો છે. જ્યાં દવે સાહેબ આવવાના છે. આ પછી અમે બન્ને રાજકોટ આવશું. તેવું જણાવ્યું હતું ત્યાબાદ નક્કી થયા મુજબ તા.09/10/2023ના રોજ આરોપી વિનીત દવે શૈલેન્દ્ર વ્યાસ ઉર્ફે અદા સાથે અશોકભાઈના મોટાભાઈ ગુંજનના કેફેમાં આવ્યો હતો. જ્યાં વિનીતે પોતાની ઓળખ ઉુજઙ તરીકે આપી હતી. જ્યાં ગુંજનભાઈને રેલ્વેમાં જુનીયર કલાર્ક તરીકે નોકરી આપવાનું નક્કી થયું હતું. જેથી આરોપી વિનીત દવેએ જણાવ્યું હતું કે, 18 લાખ એક સાથે આપવા પડશે જેથી અશોકભાઈએ તત્કાળ રૂા.5.20 લાખ આપ્યા બાદ તા.25/10/2023ના રોજ રૂ.13 લાખ જૂનાગઢ રહેતા સંબંધી પાસેથી લઈ આપી દીધા હતા.
થોડા દિવસ બાદ શૈલેન્દ્ર વ્યાસએ ગુંજનભાઈના કેફે ખાતે રૂબરૂ આવી અશોકને કહ્યું હતું કે રેલવેમાં નોકરીનું થઈ ગયું છે. ગઈ તા. 20થી 24 નવેમ્બર સુધી રાજકોટ ડીઆરએમ ઓફિસમાં હાજર થવાનું છે. તેવું જણાવ્યું હતું બીજા દિવસે આરોપી વીનીત દવેએ અશોકને ફોન કરીને એવું કહ્યું હતું કે, તમારી પર્સનાલિટી સારી છે. તમારું પી.આઈ. તરીકે નોકરીનું થઈ જશે. બદલામાં રૂા.40 લાખ આપવા પડશે તેમ કહ્યું હતું. એ વખતે અશોકે વિનીત ને એવું જણાવ્યું હતું કે, લોન પાસ થઈ જાય એટલે આગળ વાત કરીશું. જે બાદ અશોકે મકાન પર રૂ.20 લાખની લોન લીધી હતી જેમાંથી રૂપિયા પાંચ લાખ વિનીતને પી.આઇ.ની નોકરી હાંસલ કરવા આપ્યા હતા.તા.23 નવેમ્બરના રોજ અશોક અને ગુંજન રાજકોટ ડીઆરએમની ઓફીસ ખાતે પહોંચી ગયા હતા પરંતુ આરોપી વિનીત અને શૈલેન્દ્ર વ્યાસ ઉર્ફે અદાએ ખોટા બહાના બનાવીને ગુંજનને રેલવેમાં હાજર કર્યો ન હતો અને બંને ભાઈઓને તા.30 નવેમ્બરના રોજ ફરી આવવાનું જણાવ્યું હતું. જે બાદ અશોકે વિનિતને તા.29ના રોજ ગુંજનને રેલવેમાં જુનિયર ક્લાર્ક તરીકેની નોકરી માટે હાજર કરવા બાબતે પૂછતા આરોપી વિનિતે એવું જણાવ્યું હતું કે, ગુંજનને હવે તા.11/12/2023 ના સીધુ ટ્રેનીંગ મા જવાનુ છે અને ટ્રેનિંગ નો ઓર્ડર શૈલેન્દ્રભાઇ વ્યાસ તમને રૂબરૂ આપી જશે તેવી વાતચીત કરી હતી જેથી અશોક એ પોતાની નોકરી બાબતે પૂછતા આરોપી વિનિત્તે એવું જણાવ્યું હતું કે, બાકીનુ પેમેન્ટ તમે પુરૂ કરો પછી તમારો ટ્રેનિંગનો લેટર આવી જશે. જેથી અશોકે તા.6થી 8 ડિસેમ્બર દરમીયાન ચેક મારફતે અને ગુગલ પે મારફતે આરોપી વિનીત ને કુલ રૂપિયા 2.30 લાખ આપ્યા હતા. અને તા.12 ડિસેમ્બરના રોજ આરોપી વિનીત ઉઢજઙ હોવાની ખોટી ઓળખ આપી તરીકે લોકો સાથે છેતરપિંડી કરતો હોવાના અહેવાલો પ્રકાશિત થયા હતા. જેને પગલે અશોકને છેતરપિંડી થઇ હોવાનું માલુમ થયું હતું અને સમગ્ર મામલે તેણે આરોપી વિનિત વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી હતી આ ફરિયાદના આધારે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.