વડોદરા નજીક ગત કાલે રાત્રી ટ્રેનને પસાર થવા માટે સિગ્નલ ન મળતા સમગ્ર મામલો સામે આવ્યો હતો. ત્યારે કેટલાક અસામાજીક તત્વો દ્વારા મેટલ ફેન્સિંગ પોલ મૂકી ટ્રેનને ઉથલાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતું પ્રયાસ નિષ્ફળ રહ્યો હતો. ત્યારે મોટી દુર્ઘટનાં સર્જાતા રહી ગઈ હતી.
વડોદરા નજીક ગત રોજ રાત્રીનાં સુમારે કેટલાક અજાણ્યા લોકો દ્વારા ટ્રેન ઉથલાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પરંતું રાત્રીનાં સુમારે રાત્રે ટ્રેનને પસાર થવા માટે સિગ્નલ ન મળતા સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો. ત્યારે ઓખા-શાલીમાર અને અમદાવાદ-પુરી એક્સપ્રેસ ટ્રેનમાં મુસાફરી કરી રહેલ પેસેન્જરોનો આબાદ બચાવ થયો હતો.
- Advertisement -
મેટલ ફેનસિંગ પોલ મુકી ટ્રેનને ઉથલાવવાનો પ્રયત્ન કર્યો
વડોદરા સુરત રેલવે ટ્રેક પરનાં પિલ્લર વચ્ચે અસામાજીક તત્વો દ્વારા મેટલ ફેનસિંગ પોલ મુકી ટ્રેનને ઉથલાવવાનો પ્રયત્ન કર્યો હતો. ત્યારે આ ઘટનાં વરણામાં અને ઈંટોલા સ્ટેશન વ્ચે બની હતી. ગઈકાલે રાત્રે ટ્રેનને પસાર થવા માટે સિગ્નલ ન મળતા મામલો સામે આવ્યો હતો. જેમાં કેટલાક અસામાજીક તત્વોએ મેટલ ફેન્સિંગ પોલ મુકી ટ્રેનને ઉથલાવવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતું સદનસીબે મોટી જાનહાનિ ટળી હતી.
પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરી
આ બાબતે વડોદરા ગ્રામ્ય પોલીસ મથકે સિનિયર સેક્શન એન્જીનીયર દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવાઈ હતી. જે બાદ જીલ્લા પોલીસ વડા રોહન આનંદે ઘટનાની ગંભીરતા જોતા તપાસનાં આદેશ આપ્યા હતા. તેમજ ગ્રામ્ય એલસીબી, એસઓજી, સ્થાનિક પોલીસ અને રેલવે પોલીસની અલગ અલગ ટીમો બનાવી રેલવે પોલીસનાં સંપર્કમાં રહી તપાસનાં ચક્રોગતિમાન કર્યા હતા.