– ચોકે-ચોકે લાગ્યા જયશ્રી રામના ધ્વજ
અયોધ્યા ખાતે નવનિર્મિત રામમંદિરના પ્રાણ-પ્રતિષ્ઠા કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે ત્યારે દેશભરમાં પ્રાણપ્રતિષ્ઠાને લઈને અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. દરેક શહેર- ગામમાં અનોખી રીતે શ્રી રામના આગમનની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે રંગીલા રાજકોટ શહેરમાં પણ પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવને લઈને ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
- Advertisement -
શહેરના ચોકે-ચોકે જયશ્રી રામના ધ્વજ લહેરાવવામાં આવી રહ્યા છે. તા. 22 જાન્યુઆરીના રોજ ઉત્તરપ્રદેશના અયોધ્યામાં ઐતિહાસિક અને નિર્માણાધીન રામમંદિરમાં ભગવાન શ્રીરામ બિરાજમાન થશે ત્યારે ઘણાં વર્ષોથી જેની રાહ જોવાઈ રહી હતી તે ક્ષણ હવે નજીક આવતાં શહેરોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.