શિક્ષણમંત્રી વાઘાણીનાં હસ્તે વિવિધ લોકાર્પણ, 62 કોલેજોના આશરે 1350 સ્પર્ધકો જુદી જુદી 36 ઈવેન્ટસમાં ભાગ લેશે
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા યુવાનોમાં રહેલી સુશુપ્ત શકિતઓને બહાર લાવવા અને યુવા પ્રતિભાને પ્રોત્સાહિત અને પુરસ્કૃત કરવા તેમજ યુવાનોની શકિતને પ્રગટાવતી વિવિધ સ્પર્ધાઓમાં હજારો સ્પર્ધકો સામેલ થાય તેવા શુભ હેતુથી પ્રતિવર્ષ યુવક મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. આ અંતર્ગત સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો 50 મો યુવક મહોત્સવ “અમૃત કલા મહોત્સવ” નું આયોજન આગામી તા. 23,24 અને 25 સપ્ટેમ્બર એમ ત્રણ દિવસ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસ ખાતે આયોજન કરવામાં આવેલું છે.
- Advertisement -
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસ ખાતે યોજાનાર 50 મા યુવક મહોત્સવમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન જિલ્લાઓની 62 કોલેજોના આશરે 1350 સ્પર્ધકો જુદી જુદી 36 ઈવેન્ટસમાં સહભાગી થવા માટે થનગની રહ્યા છે.