નવી શિક્ષણ નીતિ મુજબ સિન્ડિકેટ-સેનેટ જેવી સમિતિ વિસર્જિત થશે
બૉર્ડ ઓફ ગવર્નન્સ દ્વારા યુનિવર્સિટીનું સંચાલન થશે, જે સ્વતંત્ર રીતે નિર્ણય લેશે
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
નવી શિક્ષણનીતિ મુજબ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સહિત તમામ યુનિવર્સિટીમાંથી સિન્ડિકેટ અને સેનેટ સહિતની સમિતિનું વિસર્જન થશે અને બોર્ડ ઓફ ગવર્નન્સ તેનું સ્થાન લેશે જે સંપૂર્ણ સંચાલન કરશે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આગામી ઓગસ્ટ-2023 સુધીમાં સેનેટની ચૂંટણી યોજાવાની છે. આ ચૂંટણી સંભવત: યુનિવર્સિટીની સેનેટની છેલ્લી ચૂંટણી હશે કારણ કે નવી સેનેટ 2023થી 2027 સુધી કાર્યરત રહેશે, ત્યારસુધીમાં રાષ્ટ્રીય શિક્ષણનીતિ અમલી કરી દેવાશે અને ત્યારબાદ બોર્ડ ઓફ ગવર્નન્સ અસ્તિત્વમાં આવશે.
સંસ્થાઓને યોગ્ય માન્યતાઓ પ્રાપ્ત થયા પછી બોર્ડ ઓફ ગવર્નન્સની સ્થાપના કરવામાં આવશે, આ પ્રક્રિયા દરમિયાન તમામ ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓને પ્રોત્સાહન, સમર્થન અને માર્ગદર્શન આપવામાં આવશે. નવી શિક્ષણનીતિમાં જણાવ્યું છે કે સંસ્થાના બોર્ડ ઓફ ગવર્નન્સને કોઈપણ બાહ્ય દખલગીરીથી મુક્ત રીતે સ્વતંત્ર સંચાલન ક2વા, સંસ્થાના વડા સહિત તમામ નિમણૂક કરવા અને પ્રશાસન સંબંધિત તમામ નિર્ણયો લેવા માટે સત્તા આપવામાં આવશે.