પાટીદાર યુવા નેતા હાર્દિક પટેલે આજે C.R. પાટીલની હાજરીમાં કેસરિયો ખેસ ધારણ કરી લીધો છે. ત્યારે હાર્દિક પટેલે જોડાયા બાદ પ્રેસ કોન્ફરન્સ દ્વારા મહત્વનું નિવેદન આપતા જણાવ્યું કે, ‘હું આજે ભાજપમાં જોડાયો છું ત્યારે 2015માં સમાજના હિતની ભાવના સાથે કામની શરૂઆત કરીશ. જ્યારે રાષ્ટ્રના હિતનું કામ હોય ત્યારે રાજા જ નહીં સૈનિકની પણ જરૂર છે, એટલે હું આજે એક સૈનિકની ભૂમિકામાં જોડાઉ છું ત્યારે હું રાષ્ટ્રના હિત માટે ભાજપમાં જોડાયો છું. ગુજરાતના અસંખ્ય લોકો રાષ્ટ્રહિત માટે કામ કરવા તત્પર છે. મે અનેક વાર કોંગ્રેસમાં જનહિત માટે ચર્ચા કરી છે પરંતુ કોંગ્રેસે કોઈ જ કાર્ય કર્યું નથી. હું રામસેતુની ખિસકોલી બનીને કામ કરીશ, રાજ્યમાં એક નાના કાર્યકરના રૂપમાં કામ કરીશ.’
- Advertisement -
Hardik Patel says 'I will work as small soldier under leadership of PM Modi'
Read @ANI Story | https://t.co/ig43YPdbVF#HardikPatel #Gujaratassemblyelections pic.twitter.com/DEqaGcodKM
— ANI Digital (@ani_digital) June 2, 2022
- Advertisement -
આગામી 2 મહિનામાં શહીદ પાટીદાર યુવા નેતાઓ માટે વૈકલ્પિક વ્યવસ્થા અને માંગણી છે તે પૂરી કરીશું
હાર્દિકે કહ્યું કે, ‘ભાજપે જે ગુજરાત માટે, જનતા માટે અને દેશ માટે જે કામ કરવાનો પ્રયાસ કર્યો છે તેની અંદર માત્ર હાર્દિક પટેલ જ નહીં પરંતુ ગુજરાતના કરોડો લોકો તેમાં સહયોગ આપવા તત્પર છે.’
વધુમાં કહ્યું કે, ‘મે ભગવાન રામના મંદિર માટે સહયોગ કરવાની પણ કોંગ્રેસને વાત કરી હતી. પરંતુ કોંગ્રેસે તેમાં પણ સહયોગ ન કર્યો. કોંગ્રેસે રામશીલા મામલે અભદ્ર ટિપ્પણી કરી છે. કોંગ્રેસે જનતાની સાથે ઊભું રહેવાનું એક પણ કામ નથી કર્યું. પાટીદાર આંદોલન સમયે જે શહીદ થયા તેમના પરિવારજનો માટે હું અને મારા મિત્રો ભેગાં થઈને નોકરીની વૈકલ્પિક વ્યવસ્થા કરી આપીશું. આંદોલન ભલે સરકાર સામે ચાલ્યું પણ આંદોલન પૂર્ણ પણ સરકારે જ કર્યું છે, જનતા પ્રશ્નો માટે સરકાર સામે લડે છે.’