ગ્રામ્ય, તાલુકા અને જિલ્લા કક્ષાએ આન બાન અને શાન સાથે ભવ્ય ઉજવણી
જિલ્લા કક્ષાના સ્વતંત્રતા પર્વે રીહર્સલ કરતુ તંત્ર
દત્ત અને દાતારના પહાડો પર રાષ્ટ્રધ્વજ લહેરાશે
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.14
- Advertisement -
સમગ્ર દેશ ભરમાં સ્વતંત્રતા પર્વે દેશ ભક્તિનો માહોલ છવાયો છે ત્યારે જૂનાગઢ સહીત સમગ્ર સોરઠ પંથક આન બાન અને શાન સાથે સ્વતંત્રતા પૂર્વે દેશ ભક્તિના મહોલમાં રંગાયું છે.ગ્રામ્ય કક્ષા એથી લઈને તાલુકા અને જિલ્લા કક્ષાએ ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે.છેલ્લા બે દિવસથી સમગ્ર સોરઠ પંથકમાં તિરંગા યાત્રાનું ભવ્ય આયોજન કરાયું છે.અને સમગ્ર માહોલ રાષ્ટ્ર ભક્તિના રંગે રંગાયું જોવા મળે છે. આવતીકાલે શહેરના પીટીસી ગ્રાઉન્ડ ખાતે સ્વતંત્રતા પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવશે તેમજ ગીરનાર અને દાતારના પહાડો પર આન બાન સાન સાથે રાષ્ટ્ર ધ્વજ ફરકાવામાં આવશે.જેમાં સાધુ સંતો દ્વારા પણ ધ્વજ વંદન કરવામાં આવશે.રાજ્યના કૃષિ અને જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં જૂનાગઢ શહેરના બિલખા રોડ પર આવેલા પોલીસ ટ્રેનિંગ સેન્ટરના ગ્રાઉન્ડ ખાતે 78માં સ્વાતંત્ર્ય પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી સંદર્ભે આયોજિત ધ્વજવંદન અને સાંસ્કૃતિક કાર્યક્રમનું પૂર્વ તૈયારીઓના ભાગરૂપે રિહર્સલ કરવામાં આવ્યું હતું.જૂનાગઢ જિલ્લા કલેકટર અનિલકુમાર રાણાવસિયાએ આ રિહર્સલનું નિરીક્ષણ કર્યું હતું.
તેમણે રાષ્ટ્રીય પર્વની ગરિમાપૂર્ણ ઉજવણીના આયોજન માટે જવાબદારી સંભાળી રહેલા અધિકારીઓને જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપી હતી.તેમજ 15મી ઓગસ્ટના જિલ્લાની સ્કૂલ- કોલેજના વિદ્યાર્થીઓના જૂથો દેશભક્તિસભર સાંસ્કૃતિક કૃતિઓની પ્રસ્તુતિ આપવાના છે, તેમણે પણ પૂર્વ તૈયારીના ભાગરૂપે કૃતિઓ રજૂ કરી હતી.આ રિહર્સલમાં જિલ્લા વિકાસ અધિકારી નિતીન સાંગવાન, જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતા, નિવાસી અધિક કલેકટર એન.એફ. ચૌધરી, પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલ, ડેપ્યુટી કમિશનર ઝાપડા સહિતના સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને સ્વતંત્રતા પર્વની રિહર્સલ કરવામાં આવી હતી.સ્વાતંત્ર્ય દિન પૂર્વે આજ રોજ સાંજે 4-00 કલાકે જૂનાગઢ સ્થિત બહાઉદ્દીન કોલેજ ખાતેથી જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી તિરંગા યાત્રા નીકળશે.જેમા 5000 થી વધુ લોકો જોડાશે. આ યાત્રામાં સાધુ સંતો, પદાધિકારીશ્રીઓ, વિદ્યાર્થીઓ, પોલીસ જવાનો, રમતવીરો વિવિધ એસોસિએશન ઉત્સાહભેર જોડાશે. આ તિરંગા યાત્રાની સાથે વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કૃતિઓ રજૂ થશે. તિરંગા યાત્રા પૂર્ણ થયા બાદ સાંજના જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના સરદાર પટેલ સભા ગૃહ ખાતે દેશભક્તિ સભર સંગીત કાર્યક્રમ યોજવામાં આવશે.
ગુરૂ દત્ત શિખર અને દાતાર પહાડો પર રાષ્ટ્રધ્વજ લહેરાશે
સમગ્ર દેશ ભરમાં સ્વતંત્રતા પર્વનો માહોલ છવાયો છે અને લોકો દેશ ભક્તિના રંગો જોવા મળી રહ્યા છે અને સમગ્ર સોરઠ પંથકમાં વહીવટી તંત્ર સાથે પોલીસ તંત્ર અને શાળા કોલેજ સહીત સાધુ સંતો દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરાયું છે.ત્યારે જૂનાગઢ ધર્મની નગરીમાં ગિરનાર અંબાજી મંદિર અને ગુરૂદત્ત શિખર સાથે ઉપલા દાતાર પહાડો પર રાષ્ટ્રધ્વજ લેહરાવામાં આવશે જેમાં સાધુ સંતો સહીત ભાવિકો જોડાશે આમ સમગ્ર સોરઠ પંથકમાં દેશ ભક્તિના રંગે રંગાયું છે.