મનપાની સ્થાયી સમિતિના ચેરમેનની માગ
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ
મનપા સ્થાયી સમિતિના ચેરમેન હરેશ પરસાણાએ એક પત્રમાં જણાવ્યુ છે કે, અમરેલી જિલ્લાના સાવરકુંડલા અને મહેસાણા વિસ્તારમાં અશાંતધારાની અમલવારી લાગુ કરી દેવામાં આવી છે એજ રીતે જૂનાગઢ શહેરમાં પણ અશાંતધારાની અમલવારી અતિ જરૂરી છે કેમ કે, દીવાન ચોક, લીમડા ચોક, સર્કલચોક, માલીવાડા, પંચહાટડી ચોક, જોષીપરાના ખામધ્રોળ, ખોડીયાનગર મંદિર, કિમ્બ્રીજ સ્કૂલ આસપાસનો વિસ્તાર, નારાયણનગર, નંદનવન સોસાયટી, આદિત્યનગર, સર્વોદય સોસાયટી, ભવનાથ સહિતના વિસ્તારોમાં હિન્દુ સમાજની વસતી વધુ છે અને અસુરક્ષાજેવો માહોલ છે.
- Advertisement -
આ વિસ્તારમાં અન્ય ધર્મીઓ દ્વારા મકાનની ખરીદી-લે વેચ થઇ રહી છે જેને લીધે લોકોને પોતાની વસાહતો મુકી અન્યત્ર વસવુ પડે તેવા સંજોગો ઉભા થયા છે આ ગંભીર પ્રશ્ર્ન વિવિધ સમાજીક, ધાર્મિક અને જ્ઞાતિકીય સંગઠનો દ્વારા પણ રજૂઆતો થઇ છે ત્યારે આ વિષયને ઘ્યાને લઇ જૂનાગઢમાં અશાંતધારો સત્વરે લાગુ કરવામાં આવે તે જરૂરી છે.