સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કર્મચારી સોસાયટીમાં મનુભાઈ વોરા ઓપન એર થિયેટર ખુલ્લું મુકાયું
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કર્મચારી સોસાયટીમાં સીઝન્સ સ્ક્વેર ચેરીટેબલ ટ્રસ્ટ નિર્મિત ઓપન એર થિયેટરને ખુલ્લું મૂકતા સ્વામી પરમાત્માનંદ સરસ્વતીજીએ જણાવ્યું હતું કે, “માનવીનો ભાવનાત્મક વિકાસ થાય એ આવશ્યક છે. આજે સમાજમાં ત્યાગનો , સંવેદનશીલતાનો દુકાળ છે. પેહલા સંસાધન ઓછા હતા પણ એકબીજાને મદદ કરવાની ખેવના વધુ હતી અને આજે સમૃદ્ધિ વધી છે પણ માનવીનો ભાવનાત્મક વિકાસ થતો નથી. ભારતની ઓળખ બને એવા ભાવનાત્મક વિકાસની જરૂરી છે.” સ્વામીજીએ આ પ્રસંગે મનુભાઈ વોરાનાં પરિવારનાં સમાજ પ્રત્યેનાં અભિગમને બિરદાવતા કહ્યું હતું કે, “હું રાજકોટમાં આવ્યો ત્યારથી એટલે કે 35 વરસથી આ પરિવાર પાસે કોઈ જાય તો ખાલી હાથે પાછું ના ફરે એવું સાંભળતો આવ્યો છું અને આજે પણ પરિવારમાં એ ભાવના અકબંધ છે. અલ્કાબેન વોરા અને અજયભાઈ જોશી હરદમ સેવા માટે તત્પર રહે છે.
વોરા પરિવારના મોભી મનુભાઈ વોરાના નામે આજે ઓપન એર થિયેટર બન્યું છે એ આનંદની વાત છે કારણ કે, કળા અને સાહિત્ય વિના માનવી પશુ બનીને રહી જાય છે.” યુનિવર્સિટીનાં પૂર્વ કુલપતિ ડો. કલ્પકભાઈ ત્રિવેદીએ મનુભાઈને યાદ કરતા કહ્યું હતું કે, “અમે ગમે ત્યારે કોઈ કામ માટે એમની ઓફિસે જતા હોઇએ તો એ અમને જોઈ તુરંત કહેતા કે, બોલો શું મદદ જોઈએ છે? અને આજેય એમનો પરિવાર સેવા ક્ષેત્રે એટલો જ સક્રિય છે.” આ પ્રસંગે રાજકોટ મહાનગરપાલિકાના શાસક પક્ષના દંડક અન વાયબ્રન્ટ નગર સેવક મનીષભાઈ રાડીયા અને કરુણા ફાઉન્ડેશનનાં અધ્યક્ષ મિતલભાઈ ખેતાણી પણ ઉપસ્થિત હતા. મનુભાઈ વોરા પરિવારનાં મહેન્દ્રભાઈ વોરા અને અન્યો પણ ઉપસ્થિત હતા. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કર્મચારી સોસાયટીના પ્રમુખ પ્રો. જયદીપસિંહ ડોડિયાએ મહેમાનોનું શબ્દોથી સ્વાગત કર્યું હતું અને સીઝન્સ સ્ક્વેર ચેરીટેબલ ટ્રસ્ટનાં મેનેજીંગ ટ્રસ્ટી અલ્કાબેન વોરાએ ઋણ સ્વીકાર કરેલો. આ કાર્યમમાં સોસાયટીનાં ઉપાધ્યક્ષ સજી મેથ્યુ , સોસાયટીનાં મંત્રી અને સીઝન્સ સ્ક્વેર ચેરીટેબલ ટ્રસ્ટનાં ચેરમેન અજયભાઈ જોશી ઉપસ્થિત હતા. અને વાઈસ ચેરમેન અને વરિષ્ઠ પત્રકાર કૌશિક મહેતાએ કાર્યમનું સંચાલન કર્યું હતું. આ કાર્યમમાં જાણીતા કવિ સંજુ વાળા, દિલીપ જોશી, આર. પી. જોશી, ડો. સુનીલ જાદવ,અને દીપક ત્રિવેદી ઉપરાંત એન. એસ. ઉપાધ્યાય, પૂર્વ પ્રમુખ પ્રો. પી. એચ. પરસાણીયા, દિનેશભાઈ ભુવા, ડો.સેજલબેન ભટ્ટ, જાણીતા પેઇન ફીજીશિયન ડો. ચેતનાબેન જાડેજા, ડો. ધર્મેન્દ્રસિંહ ગોહિલ, મતી વિમીબેન અજયભાઇ જોશી, મતી રાગિણીબેન દિનેશભાઈ ભુવા તેમજ સોસાયટીના વરિષ્ઠ સભ્યો ઉપસ્થિત રહ્યાં હતાં. આ કાર્યમને સફળ બનાવવા માટે સોસાયટીના પ્રમુખ પ્રો .જયદીપસિંહ ડોડિયા, ઉપપ્રમુખ સજી મેથ્યુ, મંત્રી અજયભાઈ જોશી, સહમંત્રી અજયસિંહ એમ. પરમાર, સહમંત્રી રમેશ સભાયા, પ્રો. ડો. અનામિકભાઈ શાહ, ઉદ્યોગપતિ શૈલેષ પટેલ, જિતેશકુમાર એમ. પંડિત, કૈલેશકુમાર તન્ના,ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ભરતભાઈ વાજા, ડો. દર્શન ભટ્ટ, ડી.પી. ત્રિવેદી, ઉદ્યોગપતિ શ્રજીથ નાયર, મૌલિકસિંહ ભટ્ટી, એચ. એમ. રાજા, વગેરેએ જહેમત ઉઠાવી હતી. ઉદઘાટન સમારોહ પૂર્ણ થયા બાદ જીગીશાબેન રાવલ અને ઊપસ્થિત અન્ય કલાકારો દ્વારા જૂના ફિલ્મી ગીતો રજૂ કરવામાં આવ્યા હતા.