– રશિયા અને યુક્રેનનો મેડીકલ કોર્સ, ભાષા સમાન: અવદીવ
રશિયા-યુક્રેન યુદ્ધના કારણે પોતાનો મેડીકલ અભ્યાસ અધુરો છોડીને સ્વદેશ પાછા ફરેલા ભારતીય છાત્રો માટે ગુડ ન્યુઝ છે. ચેન્નાઈમાં રશિયાના મહા વાણિજય દૂતાવાસ ઓલેગ અવદીયે કહ્યું હતું કે યુક્રેન છોડીને આવેલા ભારતીય છાત્ર રશિયામાં પોતાનો અભ્યાસ પુરો કરી શકે છે. તેમણે આ છાત્રોને પોતાનો અધુરો મેડીકલનો કોર્સ રશિયામાં પુરો કરવા માટેનું આમંત્રણ આપ્યું હતું.
- Advertisement -
ઓલેગે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે, યુદ્ધના કારણે યુક્રેન છોડનારા ભારતીય છાત્રો રશિયામાં પોતાનું શિક્ષણ ચાલુ રાખી શકે છે. તેમણે જણાવ્યું હતું કે યુક્રેન અને રશિયામાં અભ્યાસક્રમ લગભગ સમાન છે. તેઓ લોકોની ભાષા પણ જાણે છે. તેમણે જણાવ્યું હતું કે યુક્રેનમાં મોટાભાગના લોકો રશિયન ભાષા બોલે છે.
ઉલ્લેખનીય છે કે, 23 ઓકટોબરે કીવમાં ભારતીય દૂતાવાસે એક એડવાઈઝરી જાહેર કરીને યુદ્ધ અસરગ્રસ્ત દેશમાં હાલમાં રહેતા ભારતીય નાગરિકોને જેમ બને તેમ ઝડપથી યુક્રેન છોડવાનું કહ્યું હતું. ઉલ્લેખનીય છે કે ફેબ્રુઆરીમાં રશિયાના આક્રમણ બાદ યુક્રેનમાં હજારો ભારતીયો ફસાઈ ગયા હતા. સરકારની પહેલ બાદ ત્યાંથી છાત્રોને સ્વદેશ લાવવામાં આવ્યા હતા.