મનસુખ સાગઠિયા સામે ગુનો નોંધવા EDએ RMC પાસે મંજૂરી માગી: સ્ટેન્ડિંગ કમિટી મની લૉન્ડરિંગ અંતર્ગત તપાસને બહાલી આપીને જનરલ બોર્ડને સોંપશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટ મહાનગર પાલિકાના તત્કાલીન TPO મનસુખ સાગઠિયાની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે, કારણ કે ઊઉ દ્વારા છખઈ પાસે ગુનો દાખલ કરવા મંજૂરી માગવામાં આવી છે. મનસુખ સાગઠિયા વર્ગ 1ના કર્મચારી હોવાથી તપાસની મંજૂરી માટે પહેલા સ્ટેન્ડિંગ કમિટી અને બાદમાં જનરલ બોર્ડમાં મંજૂરી માટે મુકાશે. આજે(2 જુલાઈ) સ્ટેન્ડિંગ કમિટી સાગઠિયા વિરુદ્ધ મની લોન્ડરિંગ અંતર્ગત તપાસને બહાલી આપીને જનરલ બોર્ડને સોંપવામાં આવશે. જનરલ બોર્ડની મંજૂરી બાદ સાગઠિયા સામે કાર્યવાહી કરવામાં આવશે. TRP ગેમઝોન અગ્નિકાંડ કેસમાં મુખ્ય સહઆરોપી અને રાજકોટ મનપાના પૂર્વ ટાઉન પ્લાનીગ અધિકારી મનસુખ સાગઠિયાની રૂ.21 કરોડની મિલ્કતો પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એકટની કલમ 5 હેઠળ તા.28.05.2024ના રોજ જપ્તીમા લીધા બાદ દિલ્હીની એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે રાજકોટ મહાનગર પાલિકા પાસે ફરિયાદ દાખલ કરવા મંજૂરી માગી છે. મનસુખ સાગઠિયા વર્ગ 1ના કર્મચારી હોવાથી પ્રથમ સ્ટેન્ડિંગ કમિટી બાદ જનરલ બોર્ડમાં મંજૂરી માટે મુકવામાં આવશે. જેમાં આજ રોજ સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળ્યા બાદ આ ઠરાવને બહાલી આપી જનરલ બોર્ડમાં મોકલવામાં આવશે અને જુલાઈ મહિના દરમિયાન મળનાર જનરલ બોર્ડમાં પણ આ ઠરાવને મંજૂરી આપવામાં આવ્યા બાદ મનસુખ સાગઠિયા સામે ઊઉ ગુનો દાખલ કરી શકે છે. એટલે એવું ચોક્કસ કહી શકાય કે મનસુખ સાગઠિયાની મુશ્કેલીમાં વધારો થવો નિશ્ર્ચિત છે.
મિલ્કતો ટ્રાન્સફર અંગેનો કોઈ હુકમ ન કરવા EDની અરજી
EDની તપાસ દરમિયાન સામે આવ્યું છે કે આ મિલ્કતોની કિમત રૂ.21,61,59,129 થાય છે. આ મિલકતો PMLA એકટ હેઠળ કલંકીત ગણી તેને કલમ 5 હેઠળ EDએ જપ્ત કરી છે. હાલનો કેસ રાજકોટ એ.સી.બી.એ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ દાખલ કરી આરોપીની મિલકત કોર્ટ કસ્ટડીમાં સોંપી હતી. આ મિલ્કતો કોર્ટની કસ્ટડીમાં હોવાથી EDએ અરજી કરી કોર્ટને જણાવ્યું હતું કે, ઙખકઅ એકટની કલમ 8 હેઠળ હાલનો કેસ દિલ્હી ખાતે એજ્યુડિકેટિંગ ઓથોરિટી સમક્ષ ચાલવાપાત્ર હોય આ મિલકતો અંગે ટ્રાન્સફર અંગેનો કોઈ હુકમ ન કરવા અરજી કરાઈ છે.
સાગઠિયાએ આવક કરતાં 628.42% વધુ મિલકતો વસાવી
રાજકોટ મનપાના પૂર્વ ટાઉન પ્લાનિંગ ઓફિસર મનસુખ ધનાભાઈ સાગઠિયાએ ફરજ દરમિયાન પોતાના હોદ્દાનો દુરુપયોગ કરી ગેરકાયદે રીતે આવક કરતાં વધુ નાણાં મેળવી સ્થાવર-જંગમ મિલકતોમાં રોકાણ કર્યાનું સામે આવ્યું હતું. સાગઠિયા પાસે તેની આવક કરતાં 628.42% વધુ સ્થાવર/જંગમ મિલકતોમાં રોકાણ/ખર્ચ કર્યાનું સામે આવ્યું હતું.
- Advertisement -
મનસુખ સાગઠિયાની ક્યાં-કેટલી મિલકત?
જય બાબારી પેટ્રોલ પંપ (સોખડા, જિ. રાજકોટ)
ઈન્ડસ્ટ્રિયલ ગોડાઉન-3 (સોખડા, જિ. રાજકોટ)
જય બાબારી પેટ્રોલ પંપ (ગોમટા, તા. ગોંડલ)
હોટલ અન્ડર ક્ધસ્ટ્રકશન (ગોમટા, તા. ગોંડલ)
ફાર્મ હાઉસ (ગોમટા, તા. ગોંડલ)
ખેતીની જમીન (ગોમટા, તા. ગોંડલ)
ખેતીની જમીન (ચોરડી, તા. ગોંડલ)
ઊર્જા ઈન્ડસ્ટ્રિયલમાં ગેસ ગોડાઉન (શાપર તા. કોટડા સાંગાણીમાં)
બાલાજી ગ્રીનપાર્કમાં પ્લોટ (મોવૈયા તા. પડધરી)
અનામિકા સોસાયટીમાં અન્ડર ક્ધસ્ટ્રક્શન બંગલો (રાજકોટ શહેરમાં યુનિવર્સિટી રોડ પર)
આસ્થા સોસાયટીમાં ટેનામેન્ટ (રાજકોટ શહેરમાં માધાપર ખાતે)
સી-1701, એસ્ટર ફલેટ (અદાણી શાંતિગ્રામ ટાઉનશિપ, અમદાવાદ)
બી-7, 802, લા મરીના (અદાણી શાંતિગ્રામ ટાઉનશિપ, અમદાવાદ)
વાહનો કુલ- 6



