સ્કૂલમાં ખેંચ સાથે ધ્રુજારી ઉપડ્યા બાદ ધો. 8ની વિદ્યાર્થિનીનું મોત
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ શહેરમાં હાડ થીજવતી ઠંડીને કારણે ગોંડલ રોડ પર આવેલી એ.વી. જસાણી સ્કૂલમાં ધોરણ 8માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીને સવારે સ્કૂલમાં જ ધ્રુજારી આવ્યા બાદ બેભાન થઇ ઢળી પડી હતી અને તેનું મોત નીપજ્યું હતું.
બાળકીના મોત નિપજ્યા બાદ હવે મોડે મોડેથી જિલ્લા શિક્ષણ વિભાગ તંત્ર નિંદ્રામાંથી ઉઠ્યું છે. રાજકોટ જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા હવે ફરજીયાત પણે તમામ શાળાઓને સવારનો સમય 8 વાગ્યાનો કરવા સૂચના આપવામાં આવી છે. અને જે શાળા આ નિયમનો ભંગ કરશે તેના વિરુદ્ધ ઋઈંછ દાખલ કરવાની પણ ઉઊઘ બી.એસ.કૈલાએ તૈયારી દર્શાવી છે. નોંધનીય છે કે જો અગાઉ આ નિર્ણય ફરજીયાત કરવામાં આવ્યો હોત તો શક્ય છે કે બાળકીનો જીવ બચી શક્યો હોત.
- Advertisement -
શાળાઓનો સમય 8 વાગ્યાનો કરો: ડીડીઓની કડક સૂચના
આ અંગે રાજકોટ જિલ્લા શિક્ષણ અધિકારી બી.એસ.કૈલાએ જણાવ્યું હતું કે, શાળાના સમયમાં બદલાવ કરવા માટે શાળા સંચાલકો અને આચાર્ય પોતાના સમયમાં ફેરફાર કરી શકે છે. 2 જાન્યુઆરીના રોજ દરેક શાળાને સમયમાં અડધો કલાક સમય મોડો કરવા સૂચના આપવામાં આવી હતી પરંતુ તેમાં ફરજીયાત શબ્દ ઉલ્લેખ ન હોવાથી ગઈકાલે બનેલી ઘટના બાદ આજે શિક્ષણ અધિકારી દ્વારા દરેક શાળાને સમયમાં બદલાવ કરી 8 વાગ્યાનો કરવા સૂચના આપવામાં આવી છે.
વિદ્યાર્થીનીના મોતના જવાબદાર કલેકટર, ડી.ઈ.ઓ. તંત્ર અને સ્કૂલ મેનેજમેન્ટ: કોંગ્રેસ પ્રવક્તા
ખાનગી સ્કૂલોની સીઝનલ ઋતુમાં ડ્રેસિંગ અને સમય બાબતે મનમાની નાથવા કોંગ્રેસ હલ્લાબોલ કરશે: રોહિતસિંહ રાજપૂત
- Advertisement -
રાજકોટની ગોંડલ રોડ પર આવેલી જસાણી સ્કૂલમાં ગઈકાલે ધો.8 ની વિદ્યાર્થીનીનું કળકળતી ઠંડીના કારણે મોત થવાના મામલે કોંગ્રેસે દુ:ખ વ્યક્ત કરતા સરકારી તંત્ર અને સ્કૂલ મેનેજમેન્ટ પર આકરા પ્રહાર કર્યા હતા. કોંગ્રેસના પ્રવક્તા રોહિતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે મૃતક વિદ્યાર્થીનીના વાલીઓએ કળકળતી ઠંડીમાં સ્કૂલના વહેલા સમય અને સ્કૂલનું ફરજીયાત સ્વેટર જ પહેરવાના નિયમના લીધે પોતાનું બાળક ગુમાવ્યાનો વસવસો વ્યક્ત કર્યો તેનો સીધો મતલબ એ થયો કે કલેક્ટરેટ તંત્ર, જિલ્લા શિક્ષણ અધિકારી અને સ્કૂલ મેનેજમેન્ટ આ બાળકીના મોતના જવાબદાર છે. જો સરકારી તંત્રએ કોલ્ડવેવની આગાહી સમયે જ સ્કૂલોના સમય ફેરફાર અને તેના પર અમલીકરણ સ્કૂલો કરે કે નહિ તેના પર ધ્યાન દીધું હોત તો આ બાળકી કદાચ આજે હયાત હોત ! રાજકોટની અનેક ખાનગી સ્કૂલો, પ્રિ સ્કૂલો, કોલેજો કળકળતી ઠંડીમાં પણ પોતાની મનમાની ચલાવિને ડ્રેસ કોડ અને સમય બાબતે બાળકોને મજૂબર બની મૂંગા મોઢે ત્રાસ સહન કરાવે છે તે શરમજનક છે.
સરકારે જિલ્લા શિક્ષણ અધિકારી પાસે આ મામલે રિપોર્ટ મંગાવવાના નાટક કરે વાલીઓને ગેરમાર્ગે દોરવા કરતા તપાસ કમિટી રચી જવાબદારો સામે વિદ્યાર્થિનીના મોત મામલે પોલીસ ફરિયાદ દાખલ કરવી જોયે જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓ થતી અટકે. તેઓએ વિશેષ જણાવ્યું હતું કે ઠંડીઓમાં સ્કૂલોનો સમય અને ડ્રેસ કોડ બાબતે સ્કૂલ સંચાલકો મનમાની કરતા હશે તો કોંગ્રેસ તેવી સંસ્થાઓ સામે વિદ્યાર્થીઓ માટે હલ્લાબોલ કરશે.