રાજકોટમાં ગરબા-જન્માષ્ટમી બાદ વધુ એક ફતવો જારી
દુકાનમાં કામ કરતાં માણસોનો વીમો, મિલકતનો દસ્તાવેજ, માપણીપત્રક, ફિટનેસ સર્ટિફિકેટ જેવાં અનેક ડોક્યુમેન્ટ્સ મંગાયા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
દિવાળીના તહેવાર ટાણે પોલીસ તંત્રએ સદર બજારના 30થી વધુ ફટાકડાંના વેપારીઓને લાયસન્સ રદ કરવા નોટિસ આપી છે. બીજી તરફ તંત્ર દ્વારા ફાયર એનઓસીની 67 જેટલી અરજીઓ મંજૂર કરવામાં આવી છે જ્યારે 145 અરજીઓની સ્થળ તપાસ હજુ પણ બાકી છે. મોટાભાગના વેપારીને ફટાકડાં વેચવાની મંજૂરી આપવામાં આવી રહી નથી જે પાછળ તંત્રનો ઈરાદો શુભ ન હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે તો કેટલાક ધંધાર્થીઓને મંજૂરી મેળવવા માટેના નિયમો અતિ કડક નિયમોનું પાલન જ શક્ય નથી એવું કહી રહ્યા છે.
મનપા અને પોલીસ વિભાગ દ્વારા કોઈ આગની દુર્ઘટના ટાળવા જાનહાનિ અટકાવવા કડક નિયમોનું પાલન કરાવશે એવું કહેવાઈ રહ્યું છે પરંતુ વાસ્તવમાં તો તંત્રને ફટાકડાંની મંજૂરીમાં કશું અન્ય જ કરી રહ્યા છે. મતલબ કે, જે વેપારીઓ પૂરતા કાળગ સાથે પૈસા ન આપે તો તેમને મંજૂરી ન આપવી અને કોઈ અધૂરા કાળગ રજૂ કરી પૈસા આપે તો તેને પણ મંજૂરી આપી દેવી. તંત્રની આ ખોરી દાનતનો શીકાર ઘણા ફટાકડાંના વેપારીઓ બની રહ્યા છે.
આધારભૂત સૂત્રોના જણાવ્યા અનુસાર ફટાકડાંના વેપારીઓને બે પ્રકારના લાયસન્સ આપવામાં આવે છે જેમાં એક હંગામી લાયસન્સ અને એક કાયમી લાયસન્સ હોય છે. કાયમી લાયસન્સનો સમયગાળો 1 એપ્રિલથી 31 માર્ચ એમ એક વર્ષ માટે હોય છે. દરેક વેપારીએ ફેબ્રુઆરી મહિનામાં રિન્યુઅલ માટે અરજી કરવાની રહે છે અને હંગામી લાયસન્સ 1 મહિનો કે 15 દિવસ સુધી મંજૂર કરાય છે જેના માટે દિવાળીના 15 દિવસ અગાઉ અરજી કરવાની રહે છે.
કાયમી લાયસન્સ માટે જે ફેબ્રુઆરી મહિનામાં રિન્યુઅલ માટે અરજી કરેલી હોય છે તેનું રિન્યુઅલ દિવાળીના આઠ દિવસ અગાઉ જ કરી આપવામાં આવે છે આ દરમિયાન જો કોઈ દુર્ઘટના બને તો જવાબદારી કોની ગણવી. કાયમી લાઇસન્સ માટે સ્થાનિક પોલીસ સ્ટેશન મારફત અરજી કરી તેમના દ્વારા પોલીસ કમિશનર ઓફિસમાં અભિપ્રાય સાથે અરજી મોકલવામાં આવે છે. આ દરમિયાન મફત ફટાકડાથી ફદિયા આપવામાં ન આવે તો લાયસન્સ રિજેક્ટ કરી દેવામાં આવે છે.
હાલમાં પણ તમામ જરૂરી કાગળિયા રજૂ કર્યા હોવા છતાં કેટલાક વેપારીઓને લાયસન્સ આપવામાં કે રિન્યૂ કરવામાં આવી રહ્યું નથી. આ સાથે અમુક વેપારીઓ નિયમોની એસઓપી હળવી કરવાની માગ કરી રહ્યા છે. તેમના જણાવ્યા અનુસાર વર્ષોથી જુદાજુદા વિસ્તારમાં ફટાકડાંના સ્ટોર પણ ઉભા કરવામાં આવે છે. કેટલાક મેદાન અને ચોકમાં ફટાકડા વેંચાતા હોય છે. ત્યાં દેખીતી નજરે ફાયર સેફટીના સાધનો હોય છે પરંતુ તંત્રવાહકો નાના ધંધાર્થીઓની રોજી ધ્યાને રાખી નિયમોની અમલવારી હળવીરાખે છે. શુંઆ વખતે પણ મનપા કે પોલીસ તંત્ર આવી કોઇ રહેમ રાખશે?
રેંકડીઓમાં-રસ્તા પર ફટાકડાં વેંચનારને લાયસન્સ જરૂરી નથી?
દિવાળીના દિવસોના શહેરભરમાં રેકડીઓમાં શાકભાજીની જેમ ફટાકડાં વેચાતા હોય છે. સદર પોલીસ ચોકી પાસે જ આવેલા હરિહર ચોકમાં પાથરણાવાળા અને ફેરીયાવાળા પાસે જરૂરિયાત મુજબના ઉઘરાણા કરી તેમને કોઈ પણ આધાર પુરાવા વગર ફટાકડાંનો વેપાર કરવા માટે મંજૂરી આપી દેવામાં આવે છે જ્યારે દુકાનોમાં ટેક્સ ભરી કાયદેસર ધંધો કરતા વેપારીઓ પાસે એક કાગળ ઘટતો હોય તો પણ યેનકેન પ્રકારે હેરાન કરી લાયસન્સ રિજેક્ટ કરવા માટેનું દબાણ કરવામાં આવે છે.
- Advertisement -
છેલ્લી ઘડીએ લાયસન્સ માટે જરૂરી પ્રમાણપત્ર લાવવા ક્યાંથી?
દિવાળીના ગણતરીના દિવસો અગાઉ જ નવી એસઓપી મુજબ લાયસન્સ માટે જરૂરી પ્રમાણપત્રનું લાંબુલચક લિસ્ટ જાહેર કરાયું છે પણ ફટાકડાંના વેપારીઓ માટે છેલ્લી ઘડીએ એસઓપીમાં દર્શાવેલા પ્રમાણપત્રો રજૂ કરી લાયસન્સ મેળવવું અઘરું બન્યું છે. ફટાકડાંના કાયમી લાઇસન્સ માટે પોલીસ વિભાગ દ્વારા ફાયર વિભાગની એન.ઓ.સી., ઇલેક્ટ્રિક યોગ્યતા અંગે અધિકૃત વાયરમેનનું પ્રમાણપ્રત્ર, ગુમાસ્તાધારા હેઠળનું પ્રમાણપત્ર તથા ફટાકડાના જથ્થાની વિગતોની માહિતી માગવામાં આવી છે. જે મોટાભાગના વેપારીઓ રજૂ ન કરી શકતા લાયસન્સ ઈસ્યૂ થયા નથી. વેપારીઓએ એવી રજૂઆત કરી હતી ગુમાસ્તાધારાનું લાયસન્સ નીકળવાનું 2018થી બંધ થઈ ગયું છે ત્યારે તે ક્યાંથી લાવવું?