43000KM ટુ વ્હીલની યાત્રા બે વર્ષમાં પૂર્ણ કરવાનો ધ્યેય
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.22
- Advertisement -
બેંગ્લોર થી ટુ વ્હીલ પર આખા દેશમાં ભ્રમણ પર નીકળેલ દિવાકર રેડી નામનો યુવક 43000 કિલોમીટર ટુ વ્હીલની યાત્રા કરીને આજે શ્રી ભૂતનાથ મંદિરે આવી પહોંચ્યો હતો. મંદિરના મહંત શ્રીમહેશગીરી બાપુ દ્રારા જૂનાગઢના નગરદેવતા ભૂતનાથ દાદાના સાનિધ્યમાં જૂનાગઢ શહેરના લોકો વતી દિવાકરને એમના સાહસ અને વિચારધારા માટે અભિનંદન આપ્યા અને સન્માનિત કરી સાહસિકયાત્રા માટે શુભકામના પાઠવી હતી. દિવાકર હવેની આગળની યાત્રા માટે જૂનાગઢ થી સોમનાથ અમરેલી ભાવનગર બોટાદ અને અમદાવાદ માર્ગે થી રાજસ્થાન તરફ જવા પ્રયાણ કરશે તેવું જણાવ્યું હતું અને દિવાકર રેડીનો ઓલ ઇન્ડિયા ટ્રીપ દરમિયાન બે લાખ થી વધુ કિલોમીટરની યાત્રા બે વર્ષમાં પૂર્ણ કરવાનો ધ્યેય નક્કી કર્યો હોવાનુ જણાવ્યુ હતું.