ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ મહાનગરપાલિકાના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા લોકોમાં સફાઇ અંગે જાગૃતિ આવે તે માટે વિવિધ વિસ્તારોમા સફાઇ અભિયાન હાથ ધરવામા આવ્યુ છે. ત્યારે શહેરના એન્ટ્રી અને એક્ઝીટ પોઈન્ટ પરથી 3.3 ટન કચરાનો નિકાલ કરવામાં આવ્યો હતો. રાજકોટ શહેરને પ્લાસ્ટીક મુકત કરવા મહાનગરપાલિકાની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા પશ્ચિમ ઝોન વિસ્તારનાં વિવિધ એન્ટ્રી અને એક્ઝીટ પોઈન્ટ પરથી કુલ 02 ટન કચરાનો નિકાલ કરવામાં આવ્યો જયારે પૂર્વ ઝોન વિસ્તારના વિવિધ એન્ટ્રી અને એક્ઝીટ પોઈન્ટ પરથી કુલ 1.3 ટન કચરાનો નિકાલ કરવામાં આવ્યો હતો. રાજકોટ મનપા કમિશનર આનંદ પટેલની સુચના અને નાયબ કમિશનરના માર્ગદર્શન હેઠળ મનપાની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના પર્યાવરણ ઇજનેર એન.આર.પરમાર તથા નાયબ પર્યાવરણ ઇજનેર પી.સી.સોલંકી, વી.એમ.જીંજાળા અને ડી.યુ.તુવરની આગેવાની હેઠળ એસ.આઇ. તથા એસ.એસ.આઇ. દ્વારા પ્રતિંબંધીત પ્લાસ્ટીક ચેકીંગ તથા જાહેરમાં ન્યુસન્સ કરતા નાગરિકઓને દંડ કરવાની ઝુંબેશ હાથ ધરવામાં આવેલ હતી.
રાજકોટમા શહેરના વિવિધ એન્ટ્રી તથા એક્ઝિટ પોઈન્ટ પરથી 3.3 ટન કચરાનો નિકાલ
