દિયા મિર્ઝાએ આ મહામારીમાં પોતાના પ્રિયજનોને ગુમાવનારા વનરક્ષકોના કુટુંબીઓને ૪૦ લાખ રૂપિયાની મદદ કરવાનો સંકલ્પ લીધો છે.
એના માટે તેણે ફન્ડરેઝિંગ પ્લૅટફૉર્મ ‘મિલાપ’ના માધ્યમથી લોકોને પણ અપીલ કરી છે કે તેઓ પણ આ નેક કામમાં હાથ આગળ વધારે. તેણે વાઇલ્ડલાઇફ ટ્રસ્ટ ઑફ ઇન્ડિયામાં ડોનેટ કરવા જણાવ્યું છે. દિયાનો બર્થ-ડે ૯ ડિસેમ્બરે છે અને એ દિવસથી જ તે ડોનેટ કરવાનું શરૂ કરવાની છે. એ વિશે માહિતી આપતાં દિયાએ કહ્યું હતું કે ‘આ વર્ષે મારા બર્થ-ડે નિમિત્તે હું સૌને વિનંતી કરું છું કે મને ફલાવર્સ કે ગિફ્ટ્સ મોકલવાને બદલે વાઇલ્ડલાઇફ ટ્રસ્ટ ઑફ ઇન્ડિયામાં ડોનેટ કરીને વનરક્ષકોને મદદ કરો. આનાથી વધુ સારી ગિફ્ટ ન હોઈ શકે.
Latest News Update મેળવવા જોડાવ અમારા WhatsApp Group સાથે..
- Advertisement -
WHATSAPP – https://chat.whatsapp.com/GcQuGzEposq6yjEPBbSCxu
ઘણા વનરક્ષકો આપણી કુદરતી ધરોહરની સાચવણી કરતાં કોવિડ-19ની મહામારીમાં જીવ ગુમાવી બેઠા છે. તેમના પરિવારને તમારી મદદ ખૂબ ઉપયોગી થશે. ૯ ડિસેમ્બરે મારા ૪૦મા બર્થ-ડે નિમિત્તે હું આગામી ૪૦ દિવસો સુધી દરરોજ એક લાખ રૂપિયા ડોનેટ કરવાની છું. આશા છે કે તમે બધા પણ તમારી ક્ષમતા પ્રમાણે મારી સાથે ડોનેટ કરીને એ લક્ષ સુધી પહોંચવામાં મદદ કરશો. અમે જેમ બને એમ વધુ ફાળો એકઠો કરવા માગીએ છીએ.’
- Advertisement -
દિયા વાઇલ્ડલાઇફ ટ્રસ્ટ ઑફ ઇન્ડિયાની ઍમ્બૅસૅડર છે. વનરક્ષકોના કપરા જીવન પર પ્રકાશ પાડતાં દિયાએ કહ્યું હતું કે ‘જંગલોની રક્ષા કરનારા આપણા વનરક્ષકો કુદરતની સેવા કરવામાં તેમના જીવને જોખમમાં નાખે છે. તેઓ અનેક વખત જોખમી પ્રદેશ, અચોક્કસ વાતાવરણ અને જંગલી જાનવરોનો શિકાર બને છે. દેશમાં જ્યારે કોવિડની બીજી લહેર આવી ત્યારે સર્વત્ર લૉકડાઉન હતું, પરંતુ આ સ્ત્રી અને પુરુષો દેશનાં જંગલોની રખેવાળી કરતાં હતાં. ૨૦૨૧ના માર્ચથી જૂન સુધી જ્યારે આપણે બધા ઘરમાં હતા એ સમયે કોવિડ-19એ ભારતના ૫૦૦ આવા હીરોઝનો ભોગ લીધો હતો.
નવા નવા ન્યૂઝના વિડિઓ અને સમાચાર મેળવવા અમારા ઓફિશ્યિલ ખાસ-ખબર Facebook પેજને લાઈક, ફોલ્લૉ અને શેર કરો
FACEBOOK – https://www.facebook.com/rajkotkhaaskhabar/?ref=pages_you_manage
મોટા ભાગના એમાં ૩૦થી ૫૦ વર્ષની આયુના હતા. તેમણે પોતાનું આખું જીવન ભારતની વાઇલ્ડલાઇફમાં સમર્પિત કર્યું છે. યુવાઓના અચાનક નિધનથી દિલ તો હચમચી જાય છે સાથે જ કુદરતના સંરક્ષણને પણ ધક્કો પહોંચે છે. આપણે એટલું તો જરૂર કરી શકીએ કે તેમના યોગદાનને માન્યતા આપીને, જેમણે પોતાના પ્રિયજનોને ગુમાવ્યા છે તેમના પરિવારને સપોર્ટ કરીએ. હું સૌને વિનંતી કરું છું કે આ નેક કામમાં મારી સાથે મળીને ડોનેટ કરો. અમારો ઉદ્દેશ છે ૬૫ પરિવારોને મદદ કરવા માટે વધુ રકમ એકઠી કરીએ અને તમારું યોગદાન અમને એ લક્ષની વધુ નજીક લઈ જશે.’