ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
ભરૂચ ખાતે વિકાસ સપ્તાહ અંતર્ગત યોજાયેલા વંચિતો વિકાસની વાટે કાર્યક્રમ દરમિયાન 12.85 લાખ લાભાર્થીઓને રૂા. 383.54 કરોડની સહાય ડિબીટી મારફત ચૂકવાઇ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ જાહેર જીવનમાં પુરા કરેલા 23 વર્ષના ઉપલક્ષમાં રાજયભરમાં યોજાઇ રહેલા વિકાસ સપ્તાહ કાર્યક્રમ અંતર્ગત ભરૂચના શ્રી નિલકંઠ સભાખંડ, બી.એ.પી.એસ સ્વામીનારાયણ મંદિર, ઝાડેશ્વર ખાતે મધ્ય અને દક્ષિણ ગુજરાતના સામાજીક ન્યાય અને અધિકારિતા વિભાગના નિગમો અને સમાજ સુરક્ષા વિભાગની યોજનાના લાભાર્થીઓને સહાય આપવા માટે યોજાયેલા
- Advertisement -
વંચિતો વિકાસના વાટે કાર્યક્રમમાં ઉપસ્થિત જનમેદનીને સંબોધતા મંત્રી ભાનુબેને જણાવ્યું હતું કે, આજે દેશને સારા નાગરિકોની જરૂર છે. આપણે પણ આપણી ફરજોનું પાલન કરી શ્રેષ્ઠ નાગરિક તરીકેની આપણી ફરજ અદા કરીએ એમ કહી તેમણે સમાજીક ન્યાય અને અધિકારિતા વિભાગ તેમજ મહિલા અને બાળ કલ્યાણ વિભાગની વિવિધ કલ્યાણકારી યોજનાઓ અંગે વિગતે જાણકારી આપી હતી.