રાજકોટમાં ભારે પવન અને વરસાદથી આજે દિલ્લી જેવી ઘટના બની છે. હીરાસર એરપોર્ટ ટર્મિનલમાં છતનો ભાગ ધરાશાયી થઈ ગયો. ટર્મિનલ પીકઅપ-ડ્રોપ એરિયાની છતનો ભાગ તૂટી પડ્યો, જો કે ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ નથી.
રાજકોટના હિરાસર એરપોર્ટ પર દિલ્લી એરપોર્ટ જેવી દુર્ઘટના ઘટતા રહી ગઈ છે. ભારે પવન સાથે વરસાદ વરસતા હિરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટના ટર્મિનલમાં છતનો ભાગ ધરાશાયી થયો છે. ટર્મિનલમાં પેસેન્જર પીકઅપ ડ્રોપ એરિયામાં આવેલી છતનો ભાગ તૂટી પડ્યો છે. જોકે સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.
- Advertisement -
રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર શનિવારે મોટી દુર્ઘટના ટળી ગઈ. અહીં પણ દિલ્હી એરપોર્ટના ટર્મિનલ 1 જેવી દુર્ઘટના ઘટી. હિરાસરના ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ટર્મિનલની બહાર પેસેન્જર પીકઅપ-ડ્રોપ એરિયાની ઉપરની કેનોપી તૂટી પડી. સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી. પીએમ મોદીએ જુલાઈ 2023માં રાજકોટ એરપોર્ટના નવા ટર્મિનલ બિલ્ડિંગનું ઉદ્ઘાટન કર્યું હતું. આ એરપોર્ટનું વિસ્તરણ 1400 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે કરવામાં આવ્યું હતું.
આ અંગે રાજકોટના કલેકટર પ્રભવ જોશીએ કહ્યું કે આ મામલે એરપોર્ટ ઓથોરિટીને પૂછો. હંગામી શેડ છે. તે પડી ગયો છે. હમણાં રિપેર થઈ જશે. આના એક દિવસ પહેલા દિલ્હી એરપોર્ટના ટર્મિનલ 1 પર આવી જ એક ઘટનામાં એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો હતો અને કેટલાક લોકો ઘાયલ થયા હતા. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દક્ષિણ ગુજરાત પર ચક્રવાતી સિસ્ટમ સક્રિય છે, જેના કારણે રાજ્યના કેટલાક ભાગોમાં વ્યાપક વરસાદ થઈ રહ્યો છે. હવામાન વિભાગે એમ પણ જણાવ્યું કે આગામી પાંચ દિવસ સુધી વરસાદી માહોલ જારી રહેશે.