ઑસ્ટ્રિયાની શાળામાં ગોળીબાર: મૃતકોની સંખ્યા વધીને 11 થઈ, પોલીસે બંદૂકધારી ભૂતપૂર્વ વિદ્યાર્થી હોવાનું જાહેર કર્યું
ઑસ્ટ્રિયામાં થયેલા સૌથી ભયાનક ગોળીબારમાં મૃત્યુઆંક ૧૧ થયા બાદ, પીડિતોને શ્રદ્ધાંજલિ આપવા માટે સેંકડો લોકો ગ્રાઝના રસ્તાઓ પર ઉમટી પડ્યા હતા.
- Advertisement -
આ પછી તરત જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ. ગૃહમંત્રી કાર્લ નેર્નરે જણાવ્યું કે, શંકાસ્પદ વ્યક્તિ આ શાળાનો ભૂતપૂર્વ વિદ્યાર્થી હતો. અહેવાલો અનુસાર, તેણે પોતાને ગોળી મારીને આત્મહત્યા કરી લીધી છે. તેનો મૃતદેહ શાળાના બાથરૂમમાં મળી આવ્યો હોવાના પણ સમાચાર છે. ઑસ્ટ્રિયાના ગૃહ મંત્રાલયે એક નિવેદન જારી કરીને કહ્યું કે, મૃતકોની વાસ્તવિક સંખ્યા હજુ જાહેર કરી શકાતી નથી, અને ઘાયલોની સંખ્યાની પણ પુષ્ટિ કરી શકાતી નથી.
પોલીસ પ્રવક્તા સાબરી યોર્ગુને જણાવ્યું હતું કે, પોલીસ હજુ પણ ત્યાં શું બન્યું તે જાણવાનો પ્રયાસ કરી રહી છે. હાલમાં, ઘટનાસ્થળે સ્પેશિયલ ફોર્સ કોબ્રા તૈનાત કરવામાં આવી છે. ઑસ્ટ્રિયન ચાન્સેલર ક્રિશ્ચિયન સ્ટોકર પણ ગ્રાઝ જવા રવાના થઈ ગયા છે, જ્યાં તેઓ એક પ્રેસ કોન્ફરન્સ યોજવાની યોજના ધરાવે છે. યુરોપિયન યુનિયનના વિદેશ નીતિના વડા કાજા કલ્લાસે જણાવ્યું હતું કે, ઑસ્ટ્રિયન સ્કૂલમાં ગોળીબારના સમાચાર સાંભળીને મને ખૂબ જ દુ:ખ થયું છે.
દરેક બાળકે શાળામાં સુરક્ષિત અનુભવવું જોઈએ અને ભય અને હિંસાથી મુક્ત રહીને શીખવું જોઈએ. આ દુ:ખદ ક્ષણમાં મારી સંવેદના પીડિતો, તેમના પરિવારો અને ઑસ્ટ્રિયન લોકો સાથે છે.