રાજકોટ જિલ્લાના ૩ તાલુકાના ૧૫ ગામો તથા બે પરાંઓને ૧૭ ટેંકરો દ્વારા ૫ હજાર લીટર ક્ષમતાના ૩૮ ફેરા, ૧૦ હજાર લીટર ક્ષમતાના ૪૪ ફેરા અને ૨૦ હજાર લીટર ક્ષમતાના ૮ ફેરા દ્વારા ૭ લાખ ૯૦ હજાર લેટર પાણીનું દૈનિક વિતરણ કરવામાં આવી રહયું છે.
રાજકોટ તાલુકાના નવાગામ ખાતે ૧ લાખ લીટર, બામણબોર ખાતે ૭૦ હજાર લીટર, નાકરાવાડી ખાતે ૩૦ હજાર લીટર, બારવણ ખાતે ૪૦ હજાર લીટર, જીવાપર ખાતે ૩૦ હજાર લીટર,ગુંદાળા-હીરાસર-પારેવાળા-સોખડા ખાતે ૧૦ હજાર લીટર, ગારીડા અને ઢાંઢિયા ખાતે ૩૦ હજાર લીટર, ડેરોઇ ખાતે ૨૦ હજાર લીટર,વાજડી વીરડા ખાતે ૪૦ હજાર લીટર, કુવાડવા ખાતે ૫૦ હજાર લીટર, હડાળા-અમરગઢ ભીચરી ખાતે ૧૦ હજાર લીટર, મનહરપુર રોણકી ખાતે ૪૦ હજાર લીટર પાણીનું દૈનિક વિતરણ કરવામાં આવી રહયું છે.
- Advertisement -
જયારે લોધિકા તાલુકાના મેટોડા(આજી વિસ્તાર) ખાતે ૫૦ હજાર લીટર પાણીનો જથ્થો દેવગામ હેડવર્કસમાંથી અને કાંગશીયાળી(રૂડા વિસ્તાર) ખાતે ૨ લાખ ૪૦ હજાર લીટર પાણીનો જથ્થો કોઠારિયા હેડવર્કસમાંથી નાગરિકોને દૈનિક ધોરણે વિતરિત કરાઇ રહયો છે. અને જસદણ તાલુકાના અજમેર ગામે ૪૦ હજાર લીટર અને ઢેઢુકી ગામે ૨૦ હજાર લીટર પાણીનો જથ્થો ખાનગી સોર્સ દ્વારા ગ્રામ્ય જનતાને આપવામાં આવે છે.
તાજેતરમાં યોજાયેલી વર્ચ્યુઅલ બેઠકમાં આ પાણી વિતરણ વ્યવસ્થાને બહાલી આપવામાં આવી હતી, તેમ જાહેર આરોગ્ય બાંધકામ વિભાગના કાર્યપાલક ઇજનેરશ્રી એચ.ડી.જોધાણીની યાદીમાં જણાવાયું છે.