જમાવડો હોટલ પાસે કુહાડીના ઘા ઝીંકી નામચીન શખ્સનું ઢીમઢાળી દીધું હતું: 48 કલાકની દોડધામ બાદ ક્રાઈમ બ્રાંચના ઙઈં બી.ટી.ગોહિલ અને વાય.બી. જાડેજાની ટીમને સફળતા મળી
ખાસ-ખબર સંવાદદાતા
શનિવારની રાત્રે રાજકોટના જામનગર રોડ પર આવેલ જમાવડો હોટલ પાસે સરાજાહેર આહીર યુવકને કારમાં ધસી આવેલા નામચીન ત્રણ શખ્સોએ કુહાડીના ઘા ઝીંકી હત્યા નિપજાવી નાસી છૂટ્યા હતા. સતત 48 કલાક દોડધામ કરી ડીસીપી ક્રાઇમ પાર્થરાજસિંહ ગોહિલના માર્ગદર્શન હેઠળ ક્રાઈમ બ્રાંચ પીઆઈ વાય.બી. જાડેજા અને પીઆઈ બી.ટી ગોહિલની ટીમે મૂળ ખંઢેરીના અને હાલ નાગેશ્વર વિસ્તારમાં રહેતા રામદેવ ડાંગર, ઘંટેશ્વરના સતિષ બાલાસર અને જનક ડાંગરને દબોચી લીધા હતા.
શનિવારે યુનિવર્સિટી પોલીસ મથકમાં નોંધાયેલ ફરિયાદમાં આરોપી તરીકે ખંઢેરીના નામચીન રામદેવ લક્ષ્મણ ડાંગર, મહિપત લક્ષ્મણ ડાંગર અને મેરામ બાલાસરા વિરૂધ્ધ પૂર્વ આયોજીત કાવતરૂ રચી હત્યા કર્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.