ખાસ-ખબર સંવાદદાતા
લોકસભા ચૂંટણી 2024માં માત્ર એક વર્ષ બાકી છે. સત્તાધારી ભાજપ્ને ટક્કર આપવા માટે તમામ વિરોધ પક્ષો ગઠબંધનની રાજનીતિમાં વ્યસ્ત છે. આ દરમિયાન હવે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે 2024માં કોંગ્રેસની આગેવાની હેઠળનું જૂથ ભાજપ્ને સત્તા પરથી હટાવવા જઈ રહ્યું છે.
નાગાલેન્ડના દીમાપુરમાં એક ચૂંટણી રેલીમાં ખડગેએ કહ્યું કે તમામ વિપક્ષી દળો સાથે મળીને 2024માં ભાજપ્ને પાઠ ભણાવશે. કેન્દ્રમાં ગઠબંધન સરકાર સત્તામાં આવશે જેનું નેતૃત્વ કોંગ્રેસ કરશે. તેમણે કહ્યું કે કોંગ્રેસ નિયમિતપણે તમામ પક્ષો સાથે આ અંગે ચચિ કરી રહી છે, કારણ કે લોકશાહી બચાવવા અને બંધારણ બચાવવા માટે ભાજપ્ને હરાવવું જરૂરી છે.
તેમણે કહ્યું કે કોંગ્રેસ દરેક પાર્ટીને વાતચીત માટે બોલાવે છે. 2024માં કેવી રીતે જીતવું તે અંગે તમામ પક્ષો સતત પોતપોતાના મંતવ્યો શેર કરી રહ્યા છે. તેથી જ ભાજપ માટે બહુમતી મેળવવી મુશ્કેલ છે. અન્ય તમામ પક્ષો સાથે મળીને બહુમતી મેળવશે. તેમણે સ્પષ્ટ કહ્યું કે કોંગ્રેસ આ ગઠબંધનનું નેતૃત્વ કરશે. આના પરથી સ્પષ્ટ થાય છે કે કોંગ્રેસ તેની નેતૃત્વની ભૂમિકા છોડવા તૈયાર નથી.
ખડગેએ કહ્યું કે ભાજપ્ને ક્યારેય નાગાલેન્ડની ચિંતા કે પ્રાથમિકતા રહી નથી. ભાજપ્ની રાજનીતિનો ઉદ્દેશ્ય નાગાલેન્ડની સ્વદેશી અને અનોખી સંસ્કૃતિનો નાશ કરવાનો છે. તમારે તમારી સંસ્કૃતિ, ધ્રુવીકરણ અને નફરતની રાજનીતિ પરના આ હુમલા સામે ઊભા રહેવું પડશે.
ભાજપ પર પ્રહાર કરતા ખડગેએ કહ્યું કે કોંગ્રેસે આઝાદી માટે પોતાનો જીવ આપ્યો, શું આઝાદી માટે ભાજપ્ના કોઈ નેતાને ફાંસી આપવામાં આવી, શું કોઈ જેલમાં ગયું? ઉલટું, આઝાદી મેળવનાર ગાંધીજીની હત્યા થઈ અને આવા લોકો આજે દેશભક્તિનો ઉપદેશ આપે છે.
2024માં કોગ્રેસ કરશે ગઠબંધનનું નેતૃત્વ’, ખડગેએ કર્યો દાવો
