કોન્સ્ટેબલ હાર્દિક મોરીની બર્બરતા CCTVમાં કેદ
વેપારીને રાત્રે દુકાન બંધ કરવા બાબતે માર્યો માર
- Advertisement -
એસપી મનોહરસિંહ જાડેજાએ તાત્કાલિક અસરથી પોલીસ કર્મીની બદલી કરી
ખાસ-ખબર સંવાદદાતા
ગિર સોમનાથ જિલ્લાના પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલ હાર્દિક મોરીએ બે દિવસ અગાઉ રાત્રીના સમયે પાન અને ઠંડા પીણાંની દુકાન બંધ કરવા મામલે વેપારી ચીનાભાઈ પરમારને લાકડી વડે ઝૂડી નાખ્યો હતો અને બર્બરતા પૂર્વક માર મારવાની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ હતી ભાન ભૂલેલા પોલીસ કોન્સ્ટેબલ સામે પાન બીડીના વેપારીએ લેખિતમાં ફરિયાદ કરી ધોરણસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે.
પોલીસ પ્રજાની મિત્ર છે તેવા સૂત્રને લાંછન લગાડનાર પ્રભાસ પાટણના પોલીસ પોલીસ કોન્સ્ટેબલ હાર્દિક મોરીને એવોતો કેવો નશો ચડયો કે સામાન્ય પાન બીડી અને ઠંડા પીણાનો વેપાર કરતા વેપારીને રાત્રે દુકાન બંધ કરવા રોફ જમાવીને જાહેર રસ્તા પર લાવી લાકડી વડે ફટકારવામાં આવ્યો અને બેરેહમીથી માર મારવામાં આવ્યો. નજીવી બાબતે વેપારી ચીનાભાઇ પરમારને માર મારતા વેપારી સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો હતો અને તેને પોલીસના ઊંચ અધિકારીને લેખિત માં ફરિયાદ કરીને પોલીસ કોન્સ્ટેબલ હાર્દિક મોરી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરીને ધોરણ સર પગલાં લેવાની માંગણી કરી છે ત્યારે સમગ્ર બનાવના પગલે વેરાવળ સહિત ગીર-સોમનાથમાં પોલીસ કોન્સ્ટેબલ સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે.
- Advertisement -
SP મનોહરસિંહ જાડેજાએ તપાસના આદેશ આપ્યા
ગીર સોમનાથનાં જઙ મનોહરસિંહ જાડેજાએ ‘ખાસ-ખબર’ સાથે વાતચિત કરતાં જણાવ્યું હતું કે, પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશનના પોલીસ કર્મીની ફરિયાદ મળી છે તેની તપાસ ડીવાયએસપીને સોંપી દેવામાં આવી છે અને 7 દિવસમાં રિપોર્ટ રજૂ કરવા આદેશ આપી દેવાયા છે. પોલીસ કોન્સ્ટેબલ હાર્દિક મોરીને તાત્કાલિક અસરથી હેડ ક્વાર્ટરમાં બદલી કરી દેવામાં આવી છે. તેમજ રિપોર્ટ આવ્યા બાદ વધુ પગલાં ભરવાની વાત કરી હતી. આમ, સમગ્ર ઘટના બન્યાને ગણતરીનાં કલાકોમાં જ જઙ મનોહરસિંહ જાડેજાએ ધાક બેસાડતી કામગીરી કરી છે. ઉલ્લેખનીય છે કે, મનોહરસિંહ જાડેજા એક શિસ્તબદ્ધ અને ન્યાયપ્રિય અધિકારી છે. રાજકોટ બાદ હવે ગીર-સોમનાથમાં ફરજ દરમ્યાન પણ તેમણે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવી દાખલારૂપ કામગીરી કરી રહ્યા છે.
વેપારીને લાકડીથી માર મારતા કોન્સ્ટેબલનો વિડીયો CCTV માં કેદ વિડીયો જોવા અહીં ક્લિક કરો.