રાજ્ય કક્ષાની કોન્ફરન્સમાં આંતરરાષ્ટ્રીય કક્ષાના અનેક તબીબોનું આગમન પ્રશંસનીય: ડૉ. અનિલ નાયક
તંદુરસ્ત જીવન માટે પૌષ્ટિક આહાર-નિયમિત કસરત અને પૂરતી ઊંઘ ખૂબ જરૂરી છે: ડૉ. અતુલ પંડ્યા
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.19
ઈન્ડિયન મેડિકલ એસોસિએશનની રાજ્ય કક્ષાની કોન્ફરન્સ જીમાકોન-2024નું આયોજન રાષ્ટ્રીય કક્ષાનું છે અને ચાર પદ્મશ્રીથી નવાજાયેલ તબીબો સહિત આંતરરાષ્ટ્રીય કક્ષાના તબીબો ઉપસ્થિત રહેવાના છે એ પ્રશંસનીય છે એમ ઈન્ડિયન મેડિકલ એસોસિએશન- હેડ ક્વાર્ટર નવી દિલ્હીના ઈલેક્ટ પ્રેસિડેન્ટ ડૉ. અનિલ નાયકે જણાવ્યું હતું. સૌરાષ્ટ્રના તબીબી જગત માટે ગૌરવરૂપ એવી ઈન્ડિયન મેડિકલ એસોસિએશન- ગુજરાતની 76મી રાજ્ય કક્ષાની કોન્ફરન્સના સાયન્ટિફીક સેશનનો શુભારંભ થયો છે.
ડૉ. અનિલ નાયકના જણાવ્યા અનુસાર ગુજરાતભરના ત્રણ હજાર જેટલા તબીબો તથા દેશભરમાંથી વિવિધ રોગના નિષ્ણાત તબીબોની ઉપસ્થિતિમાં યોજાયેલા સમારોહમાં કોન્ફરન્સના સાયન્ટિફીક સેશનનો પ્રારંભ થયો છે. રાષ્ટ્રીય અગ્રણી તરીકે હું દેશભરના તમામ રાજ્યમાં વિવિધ કોન્ફરન્સમાં ઉપસ્થિત રહું છું પણ રાજકોટની આ કોન્ફરન્સ તમામ ક્ષેત્રે ઉત્કૃષ્ટ છે. વિવિધ વિષયોના નિષ્ણાત ફેકલ્ટી, એકેડેમીક કાર્યક્રમો, પ્રદર્શન, પેપર પ્રેઝન્ટેશન દરેક ક્ષેત્રે ઉમદા આયોજન થયું છે એ માટે ઈન્ડિયન મેડિકલ એસોસિએશન રાજકોટ અને જીમાકોનની ટીમ અભિનંદનને પાત્ર છે. રાષ્ટ્રીય કક્ષાએ આની નોંધ લેવાશે. તેમણે વધુમાં જણાવ્યું કે નિષ્ણાત તબીબોના મતે જીવનશૈલીમાં થોડા ફેરફાર થકી આપણે તંદુરસ્ત રહી શકીએ છીએ અને તંદુરસ્ત સમાજની રચના માટેના અમારા ધ્યેયની પરિપૂર્તિ માટે આ કોન્ફરન્સ મહત્ત્વની સાબિત થશે. દેશભરમાંથી આવેલા વિવિધ રોગના નિષ્ણાત તબીબો કોન્ફરન્સમાં વિવિધ રોગ અને તેની અદ્યતન સારવાર અંગે વિસ્તૃત છણાવટ કરશે જેનો લાભ સૌરાષ્ટના તબીબો તથા સૌરાષ્ટ્રના લોકોને થશે.
જીમાકોન-2024ના ચેરમેન ડૉ. અતુલ પંડ્યાએ જણાવ્યું હતું કે આઠ વર્ષ બાદ એલોપેથી તબીબોના સૌથી મોટા સંગઠન આઈ.એમ.એ.ની રાજ્ય કક્ષાની કોન્ફરન્સના યજમાન બનવાની રાજકોટને તક મળી છે ત્યારે અમોએ આ વખતે વર્તમાન જીવનશૈલી સંબંધી વિવિધ રોગ અને તેની સારવાર પર ભાર મૂક્યો છે. અમારો હેતુ લોકો લાઈફ સ્ટાઈલ વ્યવસ્થિત કરે અને રોગમાં સપડાય જ નહીં એ મુખ્ય છે. તેમણે વર્તમાન લાઈફ સ્ટાઈલ પર વાત કરતાં કહ્યું હતું કે અગાઉ આપણે સાયકલ વાપરતા, સ્કૂલમાં ગ્રાઉન્ડ પરની રમતો ખૂબ રમતા, શેરી-ગલીમાં દોડાદોડી કરતા મોટા થયા, સાદો ખોરાક હતો એટલે લોકોની તંદુરસ્તી સારી હતી. આપણે મોટી ઉંમરના તંદુરસ્ત વ્યક્તિને જોઈને એટલે જ કહીએ છીએ કે અગાઉનું ચોખ્ખું ખાધેલ છે એટલે કડેધડે છે. જ્યારે આજે બાળકો કાચી વયે બાઈક ચલાવતા થઈ ગયા, સ્કૂલમાં મેદાન જ બહુ રહ્યા નથી અને ભણતરના ભારના કારણે બાળકોને શેરીરમત શું એ જ ખબર નથી. જમવામાં જંક ફૂડ આવી ગયું એટલે હવે નાની ઉંમરમાં લોકોમાં વિવિધ જટિલ રોગ દેખાવા લાગ્યા છે જે સમાજ માટે લાલબત્તી સમાન છે.
- Advertisement -
રાજકોટ આઈ.એમ.એ.ના પ્રેસિડેન્ટ ડૉ. કાંત જોગાણી અને સેક્રેટરી ડૉ. અમીષ મહેતાની સંયુક્ત યાદીમાં જણાવ્યા અનુસાર રાજકોટમાં કાલાવડ રોડ પર આવેલી હોટલ સિઝન્સ ખાતે આજથી શરૂ થયેલી કોન્ફરન્સ જીમાકોમ-2024 બે દિવસ ચાલશે. શનિ-રવિ બે દિવસ દરમિયાન અનેક નિષ્ણાત ફેકલ્ટી પોતાના જ્ઞાન અને અનુભવના આધારે દર્દીની સારામાં સારી સારવાર કઈ રીતે થઈ શકે એ અંગે માર્ગદર્શન આપશે. એલોપેથી સારવારને વિશ્ર્વમાં એવિશન બેઈઝડ મેડિસીન ગણવામાં આવે છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે આપણે હાલ ભાગદોડભરી ટેન્શનયુક્ત જિંદગી જીવીને અનેક રોગોને સામેથી આમંત્રણ આપી રહ્યા છીએ જેની સામે અમે તબીબો લોકોને જાગૃત કરવા પ્રયાસ હાથ ધર્યા છે. લોકો જીવનશૈલીમાં થોડો બદલાવ લાવે, નિયમિત જીવન સાથે કસરતને દૈનિક ક્રિયાનો ભાગ બનાવે તો તંદુરસ્ત રહી શકે છે. જીમાકોનના સેક્રેટરી ડૉ. ચેતન લાલસેતા, ડૉ. પારસ શાહ અને ડૉ. સંજય ભટ્ટએ જણાવ્યું છે કે વર્તમાન જીવનશૈલીના કારણે હૃદયરોગ, મગજના રોગ, માનસિક રોગ, ડિપ્રેશન, તાણ, નિરાશા, વધુ પડતી મેદસ્વીતા, સાંધાના-કમરના દુ:ખાવા, પેટ-પાચનને લગતા દર્દ ખૂબ જોવા મળે છે. ઈન્ફેકશનથી થતા રોગ કરતા હાલ વાયુ પ્રદૂષણ અને આહારમાં ભેળસેળના કારણે લોકો વધુ રોગમાં સપડાય છે. ધ્વનિ પ્રદૂષણના કારણે નાની ઉંમરમાં બહેરાશ-અનિંદ્રાના રોગનો ભોગ અનેક લોકો બનતાં જોવા મળે છે. આ ઉપરાંત અનેક રોગ સામે આપણે અગમચેતીરૂપે જીવનશૈલીમાં કેવા પરિવર્તન કરવા જોઈએ એ વિશે દેશભરમાંથી આવેલા નિષ્ણાત ફેકલ્ટી માર્ગદર્શન આપશે.
સાયન્ટિફીક સેશનના શુભારંભ પ્રસંગે જાણીતા બિલ્ડર દિલીપભાઈ લાડાણી સહિત વિવિધ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. કોન્ફરન્સ સાથે મેડિકલને સંલગ્ન એક્ઝિબિશન, પોસ્ટ પ્રેઝન્ટેશન વગેરે આયોજન જોઈ અધિકારી અને આગેવાનોએ કોન્ફરન્સના યજમાન આઈ.એ.ની ટીમને બિરદાવી હતી. ગુજરાતી આઈ.એમ.એ.ના સેક્રેટરી ડૉ. મેહુલ શાહ, ઝોન ઉપપ્રમુખ ડૉ. ભાવેશ સચદે, જીમાકોન-2024ના ચેરમેન ડૉ. અતુલ પંડ્યા, કોન્ફરન્સ કો-ઓર્ડિનેટર ડૉ. યજ્ઞેશ પોપટ, ઓર્ગેનાઈઝીંગ સેક્રેટરી (ચીફ) ડૉ. ચેતન લાલસેતા, ઓર્ગેનાઈઝીંગ સેક્રેટરી (સાયન્ટીફીક) ડૉ. સંજય ભટ્ટ, ઓર્ગેનાઈઝીંગ સેક્રેટરી (ઈવેન્ટ) ડૉ. પારસ શાહ, રાજકોટ આઈ.એમ.એ.ના પ્રમુખ ડૉ. કાંત જોગાણી, સેક્રેટરી ડૉ. અમીષ મહેતા, જીમાકોન-2024ના કો-ચેરમેન ડૉ. એમ. કે. કોરવાડીયા, ડૉ. હીરેન કોઠારી, ડૉ. દિપેશ ભાલાણી, સાયન્ટીફીક કમિટી ચેરમેન ડૉ. અમીત અગ્રાવત, ટ્રેઝરર ડૉ. તેજસ કરમટા, સોવેનિયર એડિટર ડૉ. જય ધીરવાણી, જોઈન્ટ સેક્રેટરી પ્રફુલ કમાણી, ડૉ. રૂકેશ ઘોડાસરા, ડૉ. સંજય ટીલાળા, જોઈન્ટ ટ્રેઝરર ડૉ. પિયુષ ઉનડકટ, ડૉ. જયેશ ડોબરીયા, રાજકોટના વરિષ્ઠ તબીબો ડૉ. એસ.ટી. હેમાણી, ડૉ. સી. આર. બાલધા, ડૉ. ડી. કે. શાહ, ડૉ. સુશીલ કારીઆ, ડૉ. પ્રકાશ મોઢા, ડૉ. કિરીટ દેવાણીના માર્ગદર્શન હેઠળ તબીબોની ટીમ કોન્ફરન્સના આયોજન માટે કાર્યરત છે. કોન્ફરન્સના મિડીયા કો-ઓર્ડિનેટર તરીકે વૈભવ ગ્રાફિક્સના વિજય મહેતા સેવા આપે છે.
જીમાકોન-24ના સફળ આયોજન માટે રીસેપ્શન કમિટીના ચેરમેન ડૉ. ડી. કે. શાહ, સાયન્ટીફીક કમિટીના ચેરમેન ડૉ. અમીત અગ્રાવત, સુવેનિયર કમિટીના ચેરમેન ડૉ. જય ધીરવાણી, ઓડિયો વિઝ્યુઅલ કમિટીના ચેરમેન ડૉ. મિહિર તન્ના, ઈનોગ્રેશન ફંકશન કમિટીના ચેરમેન ડૉ. અમિત હપાણી, ફાયનાન્સ કમિટીના ચેરમેન ડૉ. મયંક ઠક્કર, વેન્યુ અને સ્ટોલ કમિટીના ચેરમેન ડૉ. સંકલ્પ વણઝારા, એન્ટરટેઈનમેન્ટ કમિટીના ચેરમેન ડૉ. નીતિન લાલ, હોલ મેનેજમેન્ટ કમિટીના ચેરમેન ડૉ. વિજય નાગેચા, સ્પાઉસ પ્રોગ્રામ કમિટીના ચેરમેન ડૉ. સ્વાતિબેન પોપટ, રજિસ્ટ્રેશન કમિટીના ચેરમેન ડૉ. રશ્મી ઉપાધ્યાય, એફોમોડેશન અને ટ્રાન્સપોર્ટ કમિટીના ચેરમેન ડૉ. નીતિન ટોલીયા, ફૂડ એન્ડ બેવરેજીસ કમિટીના ચેરમેન ડૉ. કમલેશ કાલરીયા, કીટ એન્ડ મોમેન્ટો કમિટીના ડૉ. દેવેન્દ્ર રાખોલીયા, એસ.ડબલ્યુ.સી. કમિટીના ચેરમેન ડૉ. વી. બી. કાસુન્દ્રાની આગેવાની હેઠળ વિવિધ કમિટીમાં તબીબોની ટીમ કાર્યરત છે.