દરરોજ મહાઆરતી, વિવિધ સાંસ્કૃતિ કાર્યક્રમો, સત્યનારાયણ ભગવાનની કથા, વડીલોને ભોજન, વિવિધ સ્પર્ધા યોજાશે
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટમાં સર્વેશ્ર્વર ચોક ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સર્વેશ્ર્વર ચોક ખાતે ગણેશ મહોત્સવ 2023નું ભવ્ય આયોજન કરવામાં આવ્યુ છે. જેનો આજે પ્રારંભ કરાયો હતો. આ વર્ષ બદ્રીનાથ મંદિર આધારીત થીમ ઉપર ડોમ તૈયાર કરાયો હતો. તા.19 થી 28 સપ્ટેમ્બર દરમિયાન ભગવાન ગણપતીજીની આરતી, પૂજા, અર્ચના વૈદિક રીતે રસમો મુજબ સેવા પુજા કરાશે તથા આ દસ દિવસ દરમિયાન મહા આરતી સાથોસાથ વિવિધ સાંસ્કૃતિક કાર્યકમો જેવા કે સત્યનારાયણની કથા, વૃધ્ધાશ્રમના વડીલોને ભોજન, ડાન્સ કોમ્પીટીશન સહિત અનેક કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલુ છે. ભગવાન ગણેશની ઢોલ નગારાના સથવારે સ્થાપના કરવામાં આવી હતી. આ શુભ અવસરે બહોળી સંખ્યામાં રંગીલા રાજકોટની જનતા ઉપસ્થિત રહી હતી. રોજ સાંજે સવારે 8. 30, સાંજે 7. 45 મહાઆરતી તથા 29 સપ્ટેમ્બરે સવારે 10 કલાકે ગણેશ વિસર્જન યાત્રા યોજાશે.
બાપ્પા મોરીયાના જયનાદ સાથે પોલીસ હેડક્વાર્ટર ખાતે દુંદાળા દેવની પધરામણી
- Advertisement -
પોલીસના અધિકારી અને કર્મચારીઓ રોજ વિઘ્નહર્તાની પૂજા કરશે
ખાસ-ખબર સંવાદદાતા
આજે ગણેશ ચતુર્થીના દિવસે સૌરાષ્ટ્ર સહિત રાજકોટમાં ગણેશ મહોત્સવનો પ્રારંભ થયો છે. ત્યારે પોલીસ હેડ પાટણ ખાતે ગણેશ મહોત્સવનો પ્રારંભ થયો હતો. ભગવાન ગણેશની ઢોલ નગારાના સથવારે સ્થાપના કરવામાં આવી હતી. પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે દુંદાળા દેવની આરતી કરી વધામણી કરવામાં આવી હતી. આ તકે ડીસીપી, પીઆઈ, પીએસઆઈ સહિતનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.