શહેરમાં શરદી-ઉધરસના 595, તાવના 95, ઝાડા અને ઉલટીના 145 કેસ નોંધાયા
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્યા શાખા દ્વારા ડેન્ગ્યુ, મલેરિયા અને ચિકનગુનિયા જેવા મચ્છરજન્ય રોગોને નિયંત્રણ લેવા માટે સતત પ્રયાસો કરવામાં આવે છે. તેમ છતાં પણ મલેરિયાના 2, ડેન્ગ્યુના 1, ચિકનગુનિયાના 1 કેસો નોંધાયા છે. જ્યારે શરદી-ઉધરસના 595, સામાન્ય તાવના 95, ઝાડા-ઉલટીના 145 કેસો નોંધાયા છે.
રાજકોટ મનપા દ્વારા રોગચાળાને પહોંચી વળવા માટે પોરાનાશક અને ફોગીંગની કામગીરી કરવામાં આવે છે. આ વાહક નિયંત્રણની કામગીરી હેઠળ 14,374 ઘરોમાં પોરાનાશક તેમજ 1204 ઘરોમાં ફોગીંગની કામગીરી કરવામાં આવી હતી.
મચ્છરનો ઉપદ્રવ વધારે હોય તેવા રેલનગર આસપાસનો વિસ્તાર, પુજારા પ્લોટ, સૌરાષ્ટ્ર કલા કેન્દ્ર અને વૈશાલીનગર જેવા વિસ્તારમાં વ્હિકલ માઉન્ટન ફોગીગ મશીનથી ફોગીંગ કામગીરી કરવામાં આવી હતી.
શહેરના રહેણાંક અને 557 પ્રીમાઇસીસ સાઇટ પર મચ્છરના ઉપદ્રવ બાબતે તપાસ કરવામાં આવી હતી. જેમાં મચ્છર ઉત્પતિ હેઠળ રહેણાંકમાં 258 અને કોમર્શિયલ 74 આસામીઓને નોટિસ આપવામાં આવી હતી.