ખાસ-ખબર ન્યૂઝ વીરપુર
બોટાદના શંકરભાઈ બેલાણીયા પોતાની સીએનજી કાર નં. જીજે -18 એએ 7870 નંબરની હુંડાઈ સેન્ટ્રો કાર લઈન બોટાદ થી ધોરાજી કાર વેંચવા જ જતા હતા ત્યારે વીરપુર હાઇવે પર આવેલ હોટેલ અમરદીપ ખાતે જમવા જવા માટે જતાં હતાં ત્યારે હાઇવે પરથી હોટેલ અમરદીપના ગ્રાઉન્ડમાં પહોંચતા જ કારમાં અચાનક ઇન્જીનમાં ધુમાળો નીકળતા શંકરભાઈ બેલાણીયાએ કાર ત્યાંજ ઉભી રાખી સમય સુચકતાથી પોતે કારમાંથી ઉતરી ગયા હતા ત્યાંજ કારમાં એકાએક વધારે આગ ફાટી નીકળતા કાર સળગી ઉઠી હતી.અને ઘડીભરમાં જ કાર સંપૂર્ણ બળીને ખાખ થઈ ગઈ હતી, આ ઘટનાની જાણ થતાં જ વીરપુર પોલીસના જવાનો તેમજ જેતપુર ફાયર ફાઈટર ઘટના સ્થળે આવી સળગતી કાર પર પાણીનો મારો ચલાવીને આગને કાબુમાં લીધી હતી.