જમ્મૂ સંભાગના જિલ્લા રાજૌરીના ધર્મસાલની બાજીમાન વિસ્તારમાં સેના તેમજ જમ્મૂ-કાશ્મીર પોલીસના સંયુક્ત નેજા હેઠળ આતંકવાદીઓ સામે ઘર્ષણ આજે સવારે ફરી ચાલુ થઇ ગયું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ઘટના સ્થળ પર કેટલાક મૃતદેહો જોવા મળી રહ્યા છે. જેમાંથી એક મૃતદેહ પોલીસ ઓફિસર અને બીજો આતંકવાદી હોવાની શંકા સેવાઇ રહી છે. હાલમાં બંન્ને તરફથી ગોળીબારી ચાલુ છે. સેના અને પોલીસે બે આતંકવાદીઓને ઘેરી લીધા છે.
આ પહેલા બુધવારના થયેલા ઘર્ષણમાં બે પોલીસ અધિકારીઓ અને 2 જવાનો સહિત 4 સેનાના જવાનો શહીદ થયા હતા તેમજ 2 જવાન ઇજાગ્રસ્ત થયા હતા. સામાન્ય નાગરિકોને બચાવતા સુરક્ષાદળો અચાનક આતંકવાદીઓ પર હુમલો કરી દીધો હતો. મહિલાઓ અને બાળકોની સુરક્ષામાં સેનાના સૈનિકો પોતાનું સર્વસ્વ ન્યોછાવર કરી દે છે. સવારે શરૂ થયેલો ગોળીબાર સાંજે 7 વાગ્યા સુધી ચાલ્યો હતો. અંધારૂ હોવાના કારણે 9 કલાક પછી ગોળીબારી બંધ કરી દીધી હતી, પરંતુ સુરક્ષાદળોએ બંન્ને આતંકવાદીને ઘેરી લીધા હતા. શહીદ થયેલા જવાનોની ઓળખમાં એક કર્નાટકના કેપ્ટન એમવી પ્રાંચલ, 63 આર/આર સિગ્નલ આગ્રાના કેપ્ટન , 9-પેરા અને જમ્મૂના પૂંછના હવલદાર મસ્જિદ, 9-પેરાના રૂપમાં હતા. એક સૈનિકની ઓળખ થઇ શકી નથી. 9-પેરાના મેજર મેહરાના હાથ અને છાતીના ભાગમાં ઇજા પહોંચી છે. તેમને ઉધમપુર કમાન્ડ હોસ્પિટલમાં એરલિફ્ટ કરીને પહોંચાડવામાં આવ્યા છે, જ્યાં તેમની સ્થિતિ સ્થિર છે. એક ઇજાગ્રસ્ત સૈનિકની સારવાર રજૌરીના જનરલ હોસ્પિટલમાં ચાલી રહી છે.
- Advertisement -
#WATCH | An encounter is underway between terrorists and joint forces of Army & J-K Police in the Bajimaal area of Dharmsal in the Rajouri district.
Four Army personnel including two officers & two jawans have lost their lives in an ongoing encounter
(Visuals deferred by… pic.twitter.com/N00YreU8ni
- Advertisement -
— ANI (@ANI) November 23, 2023
ક્યાં થઇ રહ્યું છે એન્કાઉન્ટર?
પોલીસના જણાવ્યા અનુસાર, ધર્મસાલના બાજીમાલ વિસ્તારમાં સેના અને પોલીસના સંયુક્ત પ્રયાસથી નાકાબંધી અને તપાસ અભિયાન ચાલી રહ્યું છે. સેનાના વ્હાઇટ નાઇટ ફોરએ એક્સ અકાઉન્ટ પર પોસ્ટમાં લખ્યું કે, આ ગુપ્ત માહિતીના આધાર પર રવિવારના રજૌરીના ગુલાબગઢ જંગલના કાલાકોટ વિસ્તારમાં સંયુક્ત અભિયાન ચાલુ કરી દીધું હતું.
ક્યારથી ચાલી રહ્યું છે એન્કાઉન્ટર?
વ્હાઇટ નાઇટ ફોરે કહ્યું કે, 22 નવેમ્બરે ઘર્ષણ થયું અને ભીષણ ગોળીબાર થયો. સ્થાનિક લોકોએ જણાવ્યું કે, આ વિસ્તારમાં સક્રિય આતંકવાદીઓની જાણકારી મળતા જ રવિવારથી નાકાબંધી તેમજ તપાસ અભિયાન ચાલુ કરી દેવામાં આવ્યું છે. એક સ્થઆનિક રહેવાસીએ જણાવ્યું કે, અભિયાનના કારણે અમારે ઘર પર જ રહેવું પડે છે અને બહાર ના નિકળવા જણાવ્યું છે. અમારા બાળકો પણ ઘરે જ છે, તેઓ સ્કુલે જઇ શકતા નથી.
બંન્ને આતંકી વિદેશી છે
અધિકારીઓએ આપેલી જાણકારી અનુસાર, બાજીમાલમાં ઘટનાસ્થળે ચાલી રહેલા ઘર્ષણમાં ઘેરવામાં આવેસા બંન્ને આતંકવાદી વિદેશી નાગરિક હોવાનું જણાઇ રહ્યું છે અને રવિવારથી આ વિસ્તારમાં ઘૂસ્યા છે. આતંકીઓ એક ઉપાસના સ્થળ પર શરણ લીધી હતી.