ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.6
રાજ્યના ગ્રામ વિકાસ વિભાગની સૂચના મુજબ ગ્રામ વિકાસ એજન્સી, માણાવદર દ્વારા ગ્રામ્ય કક્ષાએ મનરેગા યોજનાના સુચારું અમલીકરણ માટે તાલુકાના કુલ 13 ગામોમાં રોજગાર દિવસનું આયોજન કરવામાં આવ્યું આ રોજગાર દિવસની મુખ્ય હેતુ ગ્રામીણ કુટુંબોને મનરેગા યોજના અંતર્ગત રોજગારીની તકો બાબતે જાગૃત કરવાની છે.
જે અંતર્ગત રોજગારી મેળવવા પાત્ર પરિવારોને કામ આપવું તેની નોંધણી કરવી ઉમર લાયક વ્યક્તિઓને સામેલ કરવા ગ્રામજનો તરફથી રજૂ થતી રજૂઆતો બાબતે તેનું નિરાકરણ લાવવું વ્યક્તિગત કામના લાભાર્થીની ઓળખ કરવી કરવા લાયક સામૂહિક કામોની માહિતી મેળવવા સહિતની કામગીરી કરવામાં આવી ગ્રામ લોકોને યોજનાના ઉદેશ અને યોજના અંતર્ગત હાથ ધરી શકાય તેવા કામો બાબતે માહિતગાર કરવામાં આવ્યા.તેમજ “એક પેડ માં કે નામ” કાર્યક્રમ અંતર્ગત બહોળી સંખ્યામાં ગ્રામ લોકોએ ભાગ લીધો હતો અને વૃક્ષા રોપણ કર્યું હતું જેમાં તાલુકા કક્ષાના અધિકારીશ્રી, કર્મચારીશ્રીઓ ઉક્ત કાર્યક્રમમાં હાજરી આપી માર્ગદર્શન પુરું પાડ્યું હતું.