બાળકો દ્વારા સિંહોનું સંવર્ધન, રક્ષણ અને જતન કરવા અંગે પ્રતિજ્ઞા લેવાઈ
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર,
સુરેન્દ્રનગર જિલ્લામાં વિશ્વ સિંહ દિવસ નિમિત્તે જુદીજુદી શાળાના બાળકો દ્વારા રેલી યોજાઈ હતી. જેમાં શ્રી ઝાડિયાણા પ્રાથમિક શાળાના બાળકોએ સિંહના મહોર પહેરીને ગામમાં રેલી યોજી ગ્રામજનોને જાગૃત કર્યા હતા. જ્યારે પીપળી શાળાના બાળકો દ્વારા સિંહ સંરક્ષણ અંગે જાગૃતતા રેલી યોજી હતી. તેમજ દેશની આન, બાન અને શાન એવા રાષ્ટ્રધ્વજ સાથે હર ઘર તિરંગા અભિયાન અન્વયે હાથમાં તિરંગા લઈ, આઝાદીના નારા લગાવી “તિરંગા યાત્રા” યોજી ગ્રામજનોને આ અભિયાનમાં સહભાગી થવા સંદેશ પાઠવ્યો હતો. આ સાથે થાનગઢની જુદી જુદી શાળાઓમાં પણ બાળકોને સિંહ વિશે સમજૂતી આપી બાળકોને જાગૃત કરવામાં આવ્યા હતા. તેમજ રેલી યોજવામાં આવી હતી. લખતર તાલુકાના ભાથરીયા ગામની શ્રી ભાથરીયા પ્રાથમિક શાળાના બાળકો દ્વારા પણ વિશ્વ સિંહ દિવસની હોંશભેર ઉજવણી કરવામાં આવી હતી.