મણિપુર પ્રવાસ પર પહોંચેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કરી મોટી જાહેરાત, હાઈકોર્ટના નિવૃત્ત ચીફ જસ્ટિસ વાળું ન્યાયિક પંચ કરશે મણિપુર હિંસાની તપાસ
મણિપુર હિંસા બાદ હવે કેન્દ્રીય ગૃહ મંત્રાલય એક્શન મોડમાં આવ્યું છે. વાત જાણે એમ છે કે, મણિપુર પ્રવાસ પર પહોંચેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જાહેરાત કરી છે કે, હવે ન્યાયિક પંચ મણિપુર હિંસાની તપાસ કરશે. આ પંચનું નેતૃત્વ હાઈકોર્ટના નિવૃત્ત ચીફ જસ્ટિસ કરશે. આ સિવાય CBI હિંસા સંબંધિત છ કેસની તપાસ કરશે. આ સાથે કહ્યું કે, હિંસામાં જીવ ગુમાવનારા પીડિત પરિવારને સરકાર દ્વારા 10-10 લાખ રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવશે.
- Advertisement -
#WATCH | Several agencies are working in Manipur to investigate violent incidents. High-level CBI probe in 6 incidents of violence that hint at a conspiracy. We will make sure that the investigation is fair: Union Home Minister Amit Shah pic.twitter.com/uH334y3bRF
— ANI (@ANI) June 1, 2023
- Advertisement -
શું કહ્યું અમિત શાહે ?
મણિપુર પ્રવાસના છેલ્લા દિવસે ઈમ્ફાલમાં એક પત્રકાર પરિષદને સંબોધતા શાહે કહ્યું કે, ગેરસમજના કારણે હિંસા થઈ. રાજ્ય વિકાસના માર્ગે આગળ વધી રહ્યું છે. છેલ્લા છ વર્ષમાં વિકાસના ઘણા કામો પણ થયા છે. જ્યારથી મણિપુરમાં ભાજપ સત્તામાં આવ્યું છે ત્યારથી તે હિંસા મુક્ત તરફ આગળ વધી રહ્યું છે. હિંસામાં જેણે પોતાનો જીવ ગુમાવ્યો તે દુઃખદ છે. છેલ્લા ત્રણ દિવસમાં હું વિવિધ વિસ્તારોમાં ગયો છું અને નાગરિકોને મળ્યો છું.
ડબલ એન્જિન સરકારે વિકાસના તમામ માપદંડોને પૂર્ણ કર્યા
અમિત શાહે કહ્યું કે, મણિપુરમાં ડબલ એન્જિન સરકારે વિકાસના તમામ માપદંડોને પૂર્ણ કર્યા છે. 29 એપ્રિલના રોજ મણિપુર હાઈકોર્ટના ઉતાવળા નિર્ણયને કારણે અહીં બે જૂથો વચ્ચે જાતિય હિંસા અને હિંસા શરૂ થઈ ગઈ હતી. મારી અપીલ છે કે જેમની પાસે શસ્ત્રો છે તેઓ તેને સોંપી દે. આવતીકાલથી પોલીસ સમગ્ર મણિપુરમાં કોમ્બિંગ ઓપરેશન શરૂ કરશે.
#WATCH | Central government has provided 8 teams of medical experts including 20 doctors to Manipur to provide aid to victims of violence in the state. 5 teams have already reached here and 3 others are on the way: Union Home Minister Amit Shah pic.twitter.com/TWVZFPlpEW
— ANI (@ANI) June 1, 2023
15 પેટ્રોલ પંપ 24 કલાક ખુલ્લા રહેશે
કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું કે, આગામી બે-ત્રણ દિવસમાં રેલ સેવા પણ પુનઃસ્થાપિત કરવામાં આવશે. સમગ્ર રાજ્યમાં 15 પેટ્રોલ પંપ 24 કલાક ખુલ્લા રહેશે. સરકાર દ્વારા રાશનના વિતરણ માટે એક અલગ કેમ્પ લગાવવામાં આવશે.
#WATCH | Education officials will reach the state and we will have discussions to provide uninterrupted education facilities to the students. Online education and examination will be held as per plan: Union Home Minister Amit Shah pic.twitter.com/EdZBN846TX
— ANI (@ANI) June 1, 2023
પરીક્ષાઓને લઈ પણ આપ્યું મોટું નિવેદન
અમિત શાહે કહ્યું કે, સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં કોઈ અવરોધ ન આવે તે સુનિશ્ચિત કરવા માટે શિક્ષણ મંત્રાલયના ઉચ્ચ અધિકારીઓની એક ટીમ અહીં પહોંચી ગઈ છે. આ ઉપરાંત લોકોને રાશન કાર્ડ દ્વારા અનાજ પણ આપવામાં આવશે. તબીબી સુવિધાઓ માટે 8 વિશેષ ટીમો બનાવવામાં આવી છે.
#WATCH | I urge citizens of Manipur to not pay heed to fake news. Strict actions will be taken against anyone violating the Suspension of Operations (SoO) agreement. Those carrying weapons must surrender before the police. Combing operations will start from tomorrow and if… pic.twitter.com/kHuMpQnPUd
— ANI (@ANI) June 1, 2023
હિંસા કરનારાઓને બક્ષવામાં આવશે નહીં: અમિત શાહ
અમિત શાહે હિંસા આચરનારાઓને ચેતવણી આપતાં કહ્યું કે, આવા લોકોને બક્ષવામાં આવશે નહીં. લોકોને અફવાઓ પર ધ્યાન ન આપવાની અપીલ કરતાં તેમણે કહ્યું કે, દરેક વ્યક્તિએ શાંતિ જાળવવી જોઈએ. તમામ લોકોને જરૂરી સુવિધાઓ પૂરી પાડવામાં આવશે. મેડિકલ હોય કે રાશન સપ્લાય, સરકાર બધા માટે પગલાં લઈ રહી છે.
Panel led by ex-HC judge to probe Manipur violence, strict action against those violating law: Amit Shah
Read @ANI Story | https://t.co/DEjvIuU0Nl#AmitShah #Manipur #violence #Law #Probe pic.twitter.com/OyPNkY0CF7
— ANI Digital (@ani_digital) June 1, 2023
11 રાજકીય પક્ષો સાથે શાહની બેઠક
અમિત શાહે મણિપુર પ્રવાસ દરમિયાન કુલ 11 રાજકીય પક્ષો અને ખેલાડીઓ સાથે બેઠક યોજી હતી. તેમણે હંગામી શિબિરોની મુલાકાત લીધી હતી. આ સાથે નાગરિકોના પ્રતિનિધિમંડળ અને કેબિનેટ મંત્રીઓ સાથે પણ બેઠક યોજાઈ હતી. તેમણે શાંતિ સ્થાપવા માટે મહિલા પ્રતિનિધિઓ અને બૌદ્ધિકો સાથે પણ ચર્ચા કરી હતી.
શાહની SoO ગ્રુપને ચેતવણી
મીડિયા સાથે વાત કરતી વખતે અમિત શાહે SoO જૂથને ચેતવણી પણ આપી હતી કે, સંધિના કોઈપણ ઉલ્લંઘનને સખત રીતે ઓળખવામાં આવશે. જો આવું થાય તો તેને કરારનો ભંગ ગણવામાં આવશે. તેમણે કહ્યું કે, જે પણ કરારો થયા છે, તેમની શરતોનું પાલન કરવું પડશે.