જમ્મુ-કાશ્મીરના ઈસ્યોરન્સ, હાઈડ્રો પ્રોજેકટ કૌભાંડ મામલે… : જેણે ફરિયાદ કરી તેને જ પરેશાન કરી રહી છે સીબીઆઈ: મલિક
જમ્મુ-કાશ્મીરના પુર્વ રાજયપાલ સત્યપાલ મલિકના નજીકના લોકોના 12 સ્થળો પર સીબીઅઈએ દરોડા પાડયા હતા. આ બાબતે મલિકે જણાવ્યું હતું કે જેમણે ફરિયાદ કરી હતી તેમને જ સીબીઆઈ પરેશાન કરી રહી છે. જમ્મુ-કાશ્મીરના ઈુસ્યોરન્સ અને કિરુહાઈડ્રો પ્રોજેકટ કૌભાંડ સાથે જોડાયેલા કેસમાં સીબીઆઈએ આજે જમ્મુ-કાશ્મીર, દિલ્હી અને રાજસ્થાન સહિત 12 જગ્યાએ સીબીઆઈએ દરોડા પાડયા હતા.
- Advertisement -
સીબીઆઈ દ્વારા તલાશી મલિકના મીડિયા સલાહકાર રહેલા સુનક બાલીના ઘેર પણ પડયા હતા. આ મામલે મલિકે જણાવ્યું હતું કે આ દુર્ભાગ્યપૂર્ણ છે કે સીબીઆઈ આ મામલામાં ફરિયાદ કરનારને પરેશાન કરી રહી છે. સુનક કોઈપણ જાતના સરકારી વેતન વિના જમ્મુ-કાશ્મીરમાં મારા સેક્રેટરી હતા. આ મામલે ત્યારે બહાર આવ્યો હતો,
જયારે સત્યપાલ મલિક 23 ઓગષ્ટ 2018 થી 30 ઓકટોબર સુધી જમ્મુ-કાશ્મીરના રાજયપાલ હતા અને મલિકે ખુદે આ મામલે ફરિયાદ કરી હતી, તેમણે જણાવ્યું હતું કે ફાઈલોની મંજુરી આપવાના બદલામાં તેને 150-150 કરોડ રૂપિયાની ઓફર કરાઈ હતી. સીબીઆઈએ આ મામલે કેસ નોંધ્યો હતો અને મલિકનું નિવેદન પણ નોંધ્યું હતું. ઉલ્લેખનીય છે કે સત્યપાલ મલિક કેન્દ્ર સરકારની ઘણી ટીકા કરતા રહ્યા છે. આ વાત તેમણે ત્યારે કહી હતી જયારે તે 2021માં મેઘાલયના રાજયપાલ હતા.