ખાસ-ખબર ન્યૂઝ ગિર સોમનાથ, તા.22
જુનાગઢ વિભાગના પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયા, તથા ગીર સોમનાથ જીલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજાનાઓના માર્ગદર્શન મુજબ, નશામુકત ગુજરાત અભિયાન અંતર્ગત ગીરસોમનાથ જીલ્લામાં લોકોમાં નાર્કોટીકસ પદાર્થ અંગે જાગૃતતા લાવવા તેમજ નાર્કોટીકસ ડ્રગ્સના જંજાળમાં ફસાઇ ગયેલાઓને તેમના રીહેબિલિટેશન માટે 1908 પર ફોન કરવા અંગે લોકોમાં જાગૃતતા વધે અને જાણકારી મળે તે માટે ગીરસોમનથ જીલ્લામાં સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત અલગ-અલગ વિસ્તારમાં એસ.ઓ.જી.પો.ઇન્સ. જે.એન.ગઢવી સા. તેમજ એલ.સી.બી. ઇ.પો.ઇન્સ. એ.બી.જાડેજા સાહેબ તેમજ એલ.સી.બી. તથા એસ.ઓ.જી. સ્ટાફ દ્વારા લોકો સહેલાઇથી બેનરો જોઇ/વાંચી શકે તેમ લાગડવામાં આવેલ તેમજ ટેમ્પલેટોનું વિતરણ કરી સમાન્ય લોકોને નાર્કોટીકસ પદાર્થના હેલ્પ લાઇન નંબર 1908 અંગે માહિતીગાર કરી નાર્કોટીકસ પદાર્થનું સેવન કે વેચાણ ગંભીર ગુનો છે તે અંગે સમજણ તથા માર્ગદર્શન આપવામાં આવેલ હતું.