કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની હાજરીમાં આસામ અને અરૂણાચલ પ્રદેશનાં 50 વર્ષના વિવાદનો અંત આવ્યો હતો.આસામ અને અરૂણાચલ પ્રદેશની સરકારોએ ગુરૂવારે બે પૂર્વોતર રાજયોની સરહદો પર લાંબા સમયથી પડતર રહેલા સરહદ વિવાદને ઉકેલવા માટે સમજુતીનાં મેમોરેન્ડમ (એમઓયુ) પર હસ્તાક્ષર કર્યા હતા. બન્ને રાજયો વચ્ચે આ સમજુતી રાષ્ટ્રીય રાજધાનીમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહની હાજરીમાં થઈ હતી.
આસામ-અરૂણાચલ કરાર અંગે આસામનાં મુખ્યમંત્રી હિમંતા બિરવા સરમાએ ક્હયું કે, આસામ અને અરૂણાચલ પ્રદેશ વચ્ચે 1972 થી સીમા વિવાદ છે. આજે અમે તમામ વિવાદો વાતચીત દ્વારા ઉકેલ્યા છે. વડાપ્રધાનનાં આર્શીવાદથી આ વિવાદનો ઉકેલ આવ્યો છે તે એક સીમાચીન્હરૂપ સાબીત થશે. આસામ અને અરૂણાચલ પ્રદેશની સરકારોએ ગુરૂવારે બે પૂર્વોતર રાજયોની સરહદો, પર લાંબા સમયથી પડતર રહેલા સરહદ વિવાદને ઉકેલવા માટે સમજુતીનાં મેમોરેન્ડમ (એમઓયુ) પર હસ્તાક્ષર કર્યા હતા. બન્ને રાજયો વચ્ચે આ સમજુતિ રાષ્ટ્રીય રાજધાનીમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહની હાજરીમાં થઈ હતી.
- Advertisement -
આ એમઓયુ પર આસામનાં મુખ્યમંત્રી હિમંતા બિરવા સરમા અને તેમના અરૂણાચલ પ્રદેશના સમકક્ષ પ્રેમા ખાંડુએ હસ્તાક્ષર કર્યા હતા. ગૃહમંત્રી અમિત શાહે કહ્યું. આંતર રાજય સરહદ વિવાદનાં સમાધાન માટે આસામ અને અરૂણાચલ પ્રદેશ વચ્ચે કરાર પર હસ્તાક્ષર એ એક મોટી સિદ્ધી છે.આજે અમે વિકસીત શાંતિપૂર્ણ અને સંઘર્ષ મુકત પુર્વોતરની સ્થાપવા માટે મળીને કામ કર્યુ છે.
માઈલસ્ટોન પાર થઈ ગયો છે. આસામ સરકારની કેબીનેટે બુધવારે અરૂણાચલ પ્રદેશ સાથે દાયકાઓથી ચાલી રહેલા સરહદ વિવાદનાં મુદ્દાને ઉકેલવા માટે રાજય સરકાર દ્વારા રચવામાં આવેલી 12 પ્રાદેશીક સમિતિઓ દ્વારા આપવામાં આવેલી ભલામણોને મંજુરી આપી હી.
અગાઉ માર્ચ 2022 માં આસામ અને મેઘાલયની સરકારોએ તેમનાં 50 વર્ષ જુના પડતર સરહદ વિવાદને ઉકેલવા માટે રાષ્ટ્રીય રાજધાનીમાં એક ઐતિહાસીક કરાર પર હસ્તાક્ષર કર્યા હતા.
- Advertisement -