જૂનાગઢમાં સિન્ધુ વેલ્ફેર ફાઉન્ડેશન દ્વારા સિન્ધુત્સવની અનોખી રીતે કરાશે
જૂનાગઢમાં પ્રથમ વખત ભારતીય સિન્ધુ સભાનું અધિવેશન મળશે
- Advertisement -
નવરાત્રીને આઝાદી કા અમૃત મહોત્સવ સાથે વણી લઇ રાષ્ટ્રહિતમાં યોગદાન
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢમાં સિન્ધુ વેલ્ફેર ફાઉન્ડેશન દ્વારા 2008થી સિન્ધુત્સવનું આયોજન કરવામાં આવી રહ્યું છે. પરંતુ ચાલુ વર્ષે વિશેષરૂપની સિન્ધુત્સવની ઉજવણી કરવામાં આવનાર છે. આ મહોત્સવને આઝાદી કા અમૃત મહોત્સવ સાથે વણી લેવામાં આવી છે. આઝાદીને 75 વર્ષ થયા હોય તેનાં ઉપલક્ષમાં વિવિધ જાહેરાત કરવામાં આવી છે. નવરાત્રી દરમિયાન જન્મ લેનાર સમાજની દીકરીનાં નામે બોન્ડ લેવામાં આવેશે. તેમજ 75 દીકરીનાં નામે બચત ખાતા ખોલવામાં આવશે. સરકારની વિવિધ યોજનાને વણી લઇ સિન્ધુ વેલ્ફેર ફાઉન્ડેશન દ્વારા રાષ્ટ્રહિતમાં યોગદાન આપવાનો પ્રયાસ કર્યો છે. એટલું જ નહી નવરાત્રી દરમિયાન જૂનાગઢમાં પ્રથમ વખત ભારતીય સિન્ધુ સભાનું અધિવેશન પણ મળશે. સિન્ધુ વેલ્ફેર ફાઉન્ડેશ દ્વારા યોજાયેલી પત્રકાર પરિષદમાં વિગતો આપવામાં આવી હતી.જૂનાગઢ સિન્ધુ વેલ્ફેર ફાઉન્ડેશનનાં સુનિલભાઇ નવાણીએ જણાવ્યું હતુ કે, તાજેતરમાં આઝાદી કા અમૃત મહોત્સવ અનુસંધાને પ્રધાનસેવક નરેન્દ્રભાઇ મોદીના આહ્વાન અનુસાર રાષ્ટ્રસેવા, ગ્રામ સેવાના કાર્યો થઇ રહ્યા છે. તેમાં અમો પણ શકિતરૂપેણ દુર્ગા સ્વરૂપ દીકરીઓ માટે નૂતન અભિયાનનો પ્રારંભ કરવાનું ગૌરવ અનુભવીએ છીએ.
આઝાદીના 75 વર્ષના ઉપલક્ષમાં ગત વર્ષની જેમ આ વખતે પણ જૂનાગઢ શહેર વિસ્તારમાં વસતા કોઇપણ સિન્ધી પરિવારને ત્યાં પહેલી દિકરીનો જન્મ થશે,તેને રૂપિયા 75 હજારનો બોન્ડ ભેંટ સ્વરૂપે આપવામાં આવશે. 75 સિન્ધી સમાજની બાળાઓને પોષ્ટ ખાતાની સુક્ધયા સમૃદ્ધિ યોજના હેઠળ રૂપિયા ભરીને બચત ખાતા ખોલાવી દેવાશે. સિન્ધી સમાજના 75 યુવકો અને 75 યુવતીઓને ડીજીટલ માર્કેટીંગનો સર્ટીફિકેશનનો કોર્ષ નિ:શુલ્ક કરાવી આપાશે. 75 કુપોષિત બાળકોને શોધીને તેમને પોષણક્ષમ આહારની કીટ અર્પણ કરાશે. આ ઉપરાંત પ્રાયમરી વિભાગનાં 75 જરૂરીયાત મંદ બાળકોને નોટબુકસના 75 સેટ આપવામાં આવશે. નવરાત્રી રાસોત્સવમાં દિવ્યાંગ-વિકલાંગ અને 75 વર્ષથી વધુ વયનાં જ્ઞાતિના વડીલો માટે વડીલ વંદના ભાવ અંતર્ગત 11 દિવસીય મહોત્સવ માટે નિ:શુલ્ક પ્રવેશ આપવામાં આવશે. આ સિન્ધુત્સવની ઉજવણી માટે આ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ કે માટે આ કોઇપણ દાતા પાસેથી ફંડ નહીં લેવાનો નવતર નિર્ણય જાહેર કર્યો છે. જૂનાગઢમાં 25 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર સુધી સિન્ધુત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ અવસર ઉપર તા. 25 અને 26 સપ્ટેમ્બરનાં ભવનાથમાં આરએસએસની ભગીની સંસ્થા ભારતીય સિન્ધુ સભાનું મહાઅધિવેશન મળશે. જેમાં 400 જેટલા લોકો હાજર રહેશે.પત્રકાર પરિષદમાં મુકેશભાઇ લખવાણી, દીલીપભાઇ બપરેજા, જયપ્રકાશજી શર્મા,કિશોરભાઇ હદવાણી સહિતનાં હાજર રહ્યાં હતાં.