ભ્રષ્ટાચારી કોર્પોરેટર દેવુબેન જાદવ અને વજીબેન ગોલતરને ભાજપના પ્રાથમિક સભ્યપદેથી હટાવાયા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.14
- Advertisement -
રાજકોટ આવાસ કૌભાંડ મામલે આજે ભાજપના જ બે ભ્રષ્ટાચારી કોર્પોરેટરને 6 વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ભ્રષ્ટાચારી વોર્ડ નં. 5ના કોર્પોરેટર વજીબેન ગોલતર અને વોર્ડ નં. 6ના કોર્પોરેટર દેવુબેન જાદવ બંનેને ભાજપના સભ્યપદ પરથી હટાવી દેવામાં આવ્યા છે.
રાજકોટના ગોકુલનગરમાં આવાસની ફાળવણીમાં બે મહિલા કોર્પોરેટરોના નામની સંડોવણી હોવાનું સામે આવ્યું હતું. બે મહિલા કોર્પોરેટરના પતિ દ્વારા રાજકોટના ગોકુલનગર આવાસ યોજનામાં ગોલમાલ કરવામાં આવી હતી. આવાસ યોજનાના 23 જેટલા મકાન મળતિયાઓને ફાળવી દેવામાં આવ્યા હતા.
ગરીબોના ફ્લેટ પોતાના જ સગા-સંબંધીઓના નામે કરી દેવાનો પર્દાફાશ થયો હતો ત્યારે અંતે આ બે મહિલા કોર્પોરેટર દેવુબેન જાદવ અને વજીબેન ગોલતરને ભાજપના પ્રાથમિક સભ્યપદેથી હટાવી દેવામાં આવ્યા છે. શોકોઝ નોટીસનો ખુલાસો યોગ્ય ન લાગતા શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશીએ જાહેરાત કરી છે. આમ બંને કોર્પોરેટરને ભાજપના પ્રાથમિક સભ્યપદેથી 6 વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તેવું આજરોજ શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશીએ જણાવ્યું હતું.