ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.17
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના 75માં જન્મ દિવસ નિમિતે મહાનગર ભાજપ અને ભૂતનાથ મહાદેવ મંદિરના મહંત મહેશગિરી બાપુના સંયુક્ત ઉપક્રમે ભૂતનાથ મહાદેવ મંદિર ખાતે આજ રોજ મોદીજીના જન્મ દિવસ નિમિતે આંતરરાષ્ટ્રીય કથાકાર ડો.મહાદેવપ્રસાદ મેહતા દ્વારા ગુજરાતના પનોતા પુત્ર અને વૈશ્વિક નેતા એવા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મ દિવસ નિમિતે તેમના દીર્ઘાયુ માટે 75 કુંડી માર્કન્ડેય મહાપુજા સહ શાંતિ યાગનું અલોકિક આયોજન કરવામાં આવ્યું હતું.
પ્રધાનમંત્રી મોદીજીના 75માં જન્મ દિવસે આજ રોજ ભૂતનાથ મહાદેવ મંદિર ખાતે સવારે 8 થી 10 વાગ્યે આ મહાયજ્ઞ યોજાયો હતો જેમાં શહેર પ્રમુખ, ધારાસભ્ય, ડે.મેયર સહીત યજ્ઞમાં આહુતિ આપીને પ્રધાનમંત્રીના જન્મ દિવસે તેમના દીર્ઘાયુની પ્રાર્થના કરી હતી ત્યારે ભૂતનાથ મહેદવ મંદિરના મહંત મહેશગિરિ બાપુ મંદિર પરિસરમાં સુંદર આયોજન કરીને મોદીજીના જન્મ દિવસની ઉજવણી કરી હતી.