મશીન બંધ થઈ જતા દૂરથી આવતા દર્દીઓને હાલાકી ભોગવવી પડી રહી છે
ખાસ-ખબર સંવાદદાતા
ભાવનગર સહિત નજીકના અમરેલી જિલ્લાના ગરીબ અને મધ્યમવર્ગના દર્દીઓ માટે આર્શિવાદરુપ શહેરની સર તખ્તસિંહજી જનરલ હોસ્પિટલમાં અપૂરતી સુવિધાના અભાવે દર્દીઓને હાંલાકી ભોગવવનો વારો આવ્યો છે. હોસ્પિટલમાં અલગ અલગ રોગો માટે જુદા જુદા વિભાગો કામ કરે છે. જેમાં આંખની સારવારના વિભાગમાં દર્દીઓ આવે છે અને જ્યારે તેઓને આંખની સારવાર માટે જરૂરી જેને પરીમેટ્રી કહેવાય છે. જેનો વાયર તૂટી ગયો હોવાથી દર્દીઓ સારવારથી વંચિત રહ્યા છે. આંખની તપાસ માટે દૂર દૂરથી આવતા દર્દીઓને પાછા જવું પડે છે. મશીનનો સામાન્ય વાયર તૂટી ગયો છે પરંતુ તેને રિપેર કરાવવા માટે હોસ્પિટલ તંત્ર ઉદાસીનતા દાખવી રહ્યું છે. જેને લઈને હોસ્પિટલના સત્તાધીશો પર ભારે ઉપેક્ષા થઈ રહી છે.
- Advertisement -
ભાવનગર શહેર અને આસપાસના જિલ્લા,તાલુકા અને ગ્રામ્ય મથકોએથી આ સિવિલ હોસ્પિટલમાં દિન-પ્રતિદિન તબીબી નિદાન અને સારવાર લેવા આવનાર દર્દીઓની સંખ્યામાં ક્રમશ નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે. સર ટી. હોસ્પિટલના નવા ઓ.પી.ડી. બિલ્ડિંગમાં સરેરાશ પ્રતિદિન બે હજાર આસપાસ નિદાન, સારવાર, ફોલોઅપ સારવાર અને દવા સહિતના કામકાજ માટે આવતા હોય સવારથી બપોરના બે વાગ્યા સુધી તો કેશબારીએ દર્દીઓ અને તેમના સ્વજનોની લાંબી લાંબી કતારો જોવા મળે છે. પરંતુ સુવિધાના અભાવના લીધે દર્દીઓ હેરાન-પરેશાન થઈ રહ્યા છે.